સુરત : સુરતના વરાછા વિસ્તારમાં આવેલ એક પેઢીમાંથી સો અને બસોની લાખો નવી ચલણી નોટો ઝડપાવાના મામલામાં વરાછા પોલીસે આઇટી વિભાગને જાણ કરવાની સાથે તપાસનો ધમધમાટ બોલાવ્યો છે.જો અન્ય ચાર જેટલી શાખાઓમાં પણ આઇટી વિભાગ તપાસ તેવા ભણકારા માલિક સામે વાગી રહ્યા છે.
– સુરત મા બસો અને પચાસના દરની નવી ચલણી
નોટોના કારોબારનો પર્દાફાશ.
– 68 લાખની બસો અને પચાસ ના દરની નવી ચલણી
નોટો ઝડપાઇ.
– દસ અને વિસના દરની નોટો સહિત કુલ 80 લાખની
રકમ પોલીસે કરી જપ્ત.
– કમિશનથી જૂની – ફાટેલી નોટના બહાન હેઠળ
ચાલતા કારોબારનો પોલીસે કર્યો પર્દાફાશ.
– આઇટી વિભાગને કરાશે રિપોર્ટ.
– અન્ય ચાર શાખાઓમાં પણ કરવામાં આવશે
તપાસ…
– પેઢીના માલિક પાસે રિઝર્વ બેંક હેઠળ આપવામાં
આવેલ કોન્ટ્રાક્ટ લાયસન્સ ની પણ કરાશે ખરાઈ.
– પોલીસે મળેલ માહિતીના આધારે માર્યો છાપો…
– ગોરધનદાસ એન.વણઝારા નામની પેઢીમાં છાપો.
– પેઢીના માલિક રાકેશ વણઝારા પર તવાઈ ?
સુરતના વરાછા સ્થિત સુ- મંગલ સોસાયટીમાં આવેલ ગોરધનદાસ એન.વણઝારા નામની પેઢી આવેલી છે.જેમાં કમિશનથી ફાટેલી ચલણી નોટો સહિત ઘસાયેલા સિક્કા લેવામાં આવે છે.જો કે અહીં આજ રોજ વરાછા પોલીસે મળેલ માહિતીના આધારે છાપો મારી પચાસ અને બસો ના દરની નવી ચલણી કુલ 68 લાખ જેટલી નોટો કબ્જે કરી હતી.આ સિવાય દસ અને વિસના દરની મળી કુલ 80 લાખ જેટલી રકમ વરાછા પોલીસે કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.સામાન્ય રીતે અહીં જોવા જઈએ તો ફાટેલી ચલણી નોટ લેવામાં આવશે તેવી જાહેરાત બતાવવામાં આવી છે ,પરતુ ઊંચા કમિશનથી અહીં નવી ચલણી નોટોનો કારોબાર કરવામાં આવતો હોવાનું પોલીસ તપાસ દરમ્યાન સામે આવ્યું હતું.જો અહીં આવતા ગ્રાહકો પાસેથી પણ નવી ચલણી નોટો સામે ઊંચું કમિશન વસુલવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી હતી.અહીં આવતા લોકોએ જણાવ્યું કે બેંકો અને બજારમાં પચાસ અને બસોના ચલણી નવી નોટો નથી મળી રહી ,ત્યારે અહીં કમિશનથી નવી ચલણી નોટો નો વેપાર કરવામા આવી રહ્યો છે.
વરાછા પોલીસે 80 લાખ જેટલી રકમ હાલ તો કબ્જે લઈ ઇન્કમ ટેક્સ વિભાગને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે.તેમજ પેઢીની અન્ય ચાર શાખાઓમાં પણ આઇટી વિભાગ તપાસ કરશે તેબુ નિવેદન પોલીસે આપ્યું છે.સાથે જ પેઢી પાસે રિઝર્વ બેંકના કોન્ટ્રાકટ હેઠળ નું લાયન્સ પણ છે કે કેમ રેની પણ ખાતરી કરવાની પોલીસે વાત જણાવી છે.આટલી મોટી રકમ પેઢી પાસેથી ક્યાંથી આવી અને કોના પાસેથી આવી છે તે દિશામાં પણ પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે.
આરબીઆઇ દ્વારા પચાસ અને બસોના દરની નવી ચલણી નોટો હાલ જ બહાર પાડવામાં આવી છે.જો કે આ નોટો હજી સુધી બેંકો સુધી પૂરતા પ્રમાણમાં પોહચી શકી નથી.ખાતેદારો પણ પચાસ અને બસોના દરની નવી ચલણી નોટો મેળવવા બેંકોમાં ધરમના ધક્કા ખાઈ રહ્યા છે.ત્યારે સુરતના વરાછા વિસ્તારમાંથી આટલા મોટા પ્રમાણમાં નવી ચલણી નોટો મળી આવી એ પણ એક મોટો સવાલ ઉભો થાય છે.સૂત્રોના જણાવ્યાનુસાર કેટલાક બેન્ક અધિકારીઓની સાંઠગાંઠ માં નવી ચલણી નોટોનો આ કારોબાર કરવામાં આવી રહ્યો છે.જો કે જે પ્રકારે વરાછા ની ગોરધનદાસ એન.વણઝારા નામની પેઢીમાંથી મળી આવેલ લાખોના દરની નવી ચલણી નોટ સામે આઇટી વિભાગ ઝીણવટભરી તપાસ કરે તો મોટા પ્રમાણમાં નવી ચલણી નોટોનો જથ્થો મળી આવે તેમ છે.