સુરતના કતારગામ સ્થિત બહુચરાજી નગરમાં આવેલ સુર્વોદય શાળાના ધોરણ નવમા અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ત્રણ દિવસ અગાઉ ફી મુદ્દે શાળા સંચાલકોના દબાણ બાદ નાસીપાસ થઈ જઇ ઝેરી ફીનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.ત્યારબાદ વિધાર્થીને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. વિધાર્થી છેલ્લા ત્રણ દિવસથી વધુ સમય વીતી ગયો હજી સારવાર અર્થે હોસ્પિટલના બિછાને છે.તબિયત તો હાલ સુધારા પર આવી છે. પરતું પેટમાં દુખાવો હાલ ઉપડતો હોવાની રાવ ઉઠી છે. જો કે સુરત સિવિલ હોસ્પિટલના તબીબોની માનવતા મરી પરવડી હોય તેમ વિધાર્થીને વાલીની જાણ બહાર ડિશચાર્જ કાર્ડ બનાવી નાખ્યો હોવાના આક્ષેપ થયા છે.
સારવાર હેઠળ રહેલા રિદ્ધેશ ના પિતા કિશોરભાઈ ચાવડાના જણાવ્યાનુસાર આજ રોજ હોસ્પિટલના તબીબો દ્વારા દબાણપૂર્વક ડિશચાર્જ કાર્ડ લખી આપવામાં આવ્યો હતો.બાળકને હજી પણ પેટમાં દુખાવો ઉપડતો હોવાની રાવ તબીબોને કરી હતી. પરંતુ તબીબોની માનવતા મરી પરવડી હોય ,તેમ જરાય સાંભળવા તૈયાર ન હતા.આખરે આ અંગેની જાણ સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ વાઢેલ ને ટેલિફોનિક મારફતે કરી હતી.જ્યાં સુધી બાળકની તબિયત સુધારા પર ના આવે ત્યાં સુધી ડિશચાર્જ લેવાની જરૂર નથી તેવી પ્રતિક્રિયા સુપ્રિન્ટેન્ડેન્ટ વાઢેલ આપી હતી. આ સિવાય તબીબોના ઓરમાયા વર્ણન ને લઈ વાલી દ્વારા રાજ્યના આરોગ્યમંત્રી કિશોર કાણાની ને પણ ટેલિફોનિક જાણ કરવામા આવી હતી.જ્યાં તેમણે પણ આ મામલે ખાતરી કરી ઘટતું કરી આપવા બાંહેધરી આપી હતી.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.