સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી બોમ્બે કોલોનીમાં પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી હતી. હત્યા બાદ પતિએ દાવો કર્યો હતો કે પત્નીએ આત્મહત્યા કરી છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ હત્યા હોવાનું બહાર આવ્યું છે. ઘરમાં અંગત ઝઘડાના કારણે પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી હતી. રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી પતિની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝઘડાના કારણે પતિએ પત્નીની હત્યા કરી
સુરતમાં એક પછી એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. રાંદેર વિસ્તારમાંથી હત્યાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાંદેરમાં નવયુગ કોલેજ પાસે બોમ્બે કોલોનીમાં રહેતા પ્રકાશ વસાવા અને તેની પત્ની ઉષા વસાવા વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. દરમિયાન પતિ પ્રકાશ વસાવાએ ગુસ્સામાં આવીને પત્ની ઉષા વસાવાનું ગળું દબાવી હત્યા કરી હતી. આ બનાવ અંગે રાંદેર પોલીસને જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાનો ખુલાસો થયો છે
પતિ પ્રકાશ વસાવાએ ગુસ્સામાં આવીને પત્નીનું ગળું દબાવી હત્યા કરી હતી. થોડા સમય પછી પ્રકાશને સમજાયું કે તેણે મોટી ભૂલ કરી છે. જેથી તેણે પત્નીની હત્યાને આત્મહત્યામાં સમાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. પોલીસે આત્મહત્યાનો પ્રાથમિક કેસ પણ નોંધ્યો હતો, પરંતુ મૃતક મહિલા ઉષા વસાવાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં પત્નીનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે પતિને કસ્ટડીમાં લીધો હતો
આ અંગે પોલીસે પતિ પ્રકાશ વસાવાની કડક પૂછપરછ કરતાં પતિએ અંગત ઝઘડામાં પત્નીની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી પતિ પ્રકાશ વસાવાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.