તમે હોમ કોરેન્ટાઈનમાં છો અને ઘરથી બહાર નીકળવા અંગે વિચારી રહ્યા છો તો સાવધાન થઈ જજો. કારણકે તમારી તમામ ગતિવિધિ ઉપર સુરત મહાનગરપાલિકા નજર રાખી રહી છે. આ એપ થકી કોરેન્ટાઇનનો ભંગ કરનાર વ્યક્તિને દંડીત પણ કરવામાં આવી રહ્યો છે અને તેની સારવાર પણ કરાઈ રહી છે. બે વખત હોમ કોરેન્ટાઇન હેઠળ રાખવા માં આવેલ આ વ્યક્તિએ પોતાની તમામ જાણકારીઓ તંત્રને આપવી પડે છે, ટૂંક સમયમાં સુરત પાલિકા દ્વારા તૈયાર કરાયેલી એપ ગુજરાતના અન્ય મહાનગરો અને દેશમાં પણ ઉપયોગમાં લેવાશે. સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના વાયરસની લડત સામે અનેક પગલાં ભરવામાં આવી રહ્યા છે અને હાલ ટેકનોલોજીના માધ્યમથી હોમ કોરેન્ટાઇન ઇસમ પર પણ બારીકીથી નજર રાખવામાં આવી રહી છે.. સાંભળીને આશ્ચર્ય થશે કે એપના માધ્યમથી હોમ કોરેન્ટાઇન ઈસમ ઉપર નજર કેવી રીતે રાખી શકાય ? તો અમે તમને જણાવી દઈએ કે સુરત મહાનગરપાલિકા માત્ર 48 કલાકમાં એક એવી એપ તૈયાર કરી જેના થકી પોતાના ઘરમાં બેસેલા અને કોરેન્ટાઇન કારેલા ઇસમ પર બાજ નજર રાખી શકાય.. વિદેશથી આવેલા દરેક વ્યક્તિને આ એપ ફરજિયાત પોતાના મોબાઈલ પર ડાઉનલોડ કરવા પાલિકાએ આદેશ આપ્યા છે અને ત્યારબાદ આ એપ થકી જે તે વ્યક્તિની ટ્રેકિંગ ટેસ્ટિંગ અને ટ્રીટ મેન્ટ કરવામાં આવી રહી છે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એક ખાસ એપ તૈયાર કરવામાં આવી છે. આ એપની ખાસિયત એ છે કે હોમ કોરેન્ટાઈન કરાયેલા તમામ લોકોને ટ્રિપલ ‘T’ હેઠળ મોનિટરિંગ કરવામાં આવી રહી છે.
સુરત સ્માર્ટ સિટી પ્રોજેક્ટટ હેઠળ આ એપ તૈયાર કરવામાં આવી છે અને તેના માટે ખાસ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી માં આવેેલા સ્મેેક સેેન્ટરમાં એક મોટી સ્ક્રીન પર તમામ હોમ કોરેન્ટાઇન કરવામાં આવેલા લોકો પર બારીકાંઈથી નજર રાખવામાં આવી રહી છે. સુરતમાં કોરેન્ટાઇન કરાયેલા ઈસમોની સંખ્યા ત્રણ હજારથી વધુ છે. કોરેન્ટાઇન કરાયેલા દરેક ઈસમને દિવસમાં બે વખત પોતાનું-લોકેશન અને તસવીર એપ ડાઉનલોડ કરવાની રહે છે, સાથે પોતાના સ્વાસ્થ્ય અંગેની પન જાણકારીઓ જેવા કે સરદી ,તાવ અને ખાસી ડાયરી અંગેની પણ વિગતો નાખવાની હોય છે.. આ તમામ જાણકારી મેળવી કંટ્રોલરૂમ થી મોનિટરિંગ કરવામાં આવે છે, લાગે કે ઈસમની તબિયત વધુ ખરાબ થઈ રહી છે તો તેને તાત્કાલિક આ હોસ્પિટલમાં પણ સારવાર આપવામાં આવે છે, સાથે જો હોમ કોરોન્ટાઈન નિયમ નો ભંગ કરશે તો આર્થિક દંડ ફટકારવામાં આવે છે અને તેમની સામે ફોજદારી ગુનો પણ દાખલ કરવામાં આવે છે, અત્યાર સુધી છ જેટલી ફરિયાદો આવા લોકો સામે સુરતના પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ ચુકી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલ આ એપની પોતે રાજ્ય સરકારે પણ પ્રશંસા કરી છે. આ જ કારણ છે કે શનિવારથી ગુજરાતના અન્ય મહાનગરોમાં આ એપ થકી હોમ કોરેન્ટાઇન થયેલા ઈસમો પર બાજ નજર રાખવામાં આવશે એટલું જ નહીં કેન્દ્રીય અર્બન ડેવલપમેન્ટ મંત્રાલય પણ આ એપ વિશે જાણકારી મંગાવી છે.. જેથી સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ભારતના અન્ય દેશોમાં પણ આ એપનું અમલીકરણ કરી શકાય.