આસારામ સગીરા સાથે દુષ્કર્મના આરોપમાં દોષિત આસારામ રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ છે. તેની સામે ગાંધીનગરની કોર્ટમાં પણ રેપ કેસની સુનાવણી ચાલી રહી છે. તેણે ચાર મહિનાના જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. પોતાની અરજીમાં 84 વર્ષના આસારામે રાજસ્થાનની જેલમાં કોરોનાના સંક્રમણમાં લાગી શકે છે તેનો ભય દર્શાવ્યો હતો. હાઈકોર્ટે આ પહેલા 30 માર્ચે પણ તેની જામીન અરજી નકારી હતી. જેમાં પણ તેણે કોરોનાના ડરનું કારણ દર્શાવ્યું હતું.
કોરોના વાયરસના ભયના કારણે આસારામે કોર્ટમાં ફરી જામીન અરજી કરી હતી. પરતું ગુજરાત હાઈકોર્ટે તેની અરજી નકારી કાઢી હતી. આ અંગે હાઈકોર્ટે જણાવ્યું છે કે, આસારામની સમર્થકોની સંખ્યા ખુબ જ વધારે છે. એવામાં તેને જામીન આપવાથી હજારોની સંખ્યામાં લોકો તેને મળવા આવી શકે છે. જેથી કોરોના વાયરસની ચપેટમાં ઘણા લોકો આવી શકે તેમ છે. જેથા હાલ આસારામની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે.