સુરતમાં આજકાલ ગરીબોના ઘઉં ખાઈને કરોડપતિ બનવાનો નવો કિમીયો શરૂ થઈ ગયો છે. સુરતના અનાજ માફીયાઓ દ્વારા ડી.એસ.ઓ.ની મદદથી કેયલાંક લોકોને કરોડપતિ બનાવવામાં આવી રહ્યા છે.
સુરતના ગરીબ વિસ્તારમાં રાશનીગંગાના ઘઉં 14 રૂપિયે કિલો મળે છે, જ્યારે બજારમાં ઘઉંનો ભાવ 18 રૂપિયે કિલો છે. જ્યારે આ ઘઉંનો આટો બનાવી વેચવામાં આવે તો 32 રૂપિયે કિલો છે અને આ ઘઉંનો લોટ મોટાભાગે બ્રેડ, બન અને લુઝ બીસ્કીટ બનાવવામાં થાય છે.
આ સંજોગોમાં ડી.એસ.ઓ. રાઠવાના નાક નીચે નવું કૌભાંડ શરૂ થયું છે. રાઠવાની રહેમ નજરે સુરતના પૂણા, કુંભારીયા સચીન, ભેસ્તાન અને કડોદરા જેવા ગરીબોના વિસ્તારમાંથી સસ્તા અનાજની દુકાનમાંથી બારોબાર ઘઉં વેચાઈ જાય છે.કેટલાંક ધનાઢ્ય લોકો કે જે ઘઉંના લોટનો કારોબાર કરે છે અેમને બજારમાં 18 રૂપિયે કિલો મળતાં ઘઉં 15 રૂપિયે આપી દેવાય છે.આ ઘઉં સીધા આટામીલમાં જાય છે અહીં એનો આટો તૈયાર થાય છે અને આ 32 રૂપિયે કિલો બજારમાં વેચાય છે. મોટાભાગે આ આટો નાની બેકરીમાં જાય છે ત્યાંથી લોકલ બ્રેડ,બન અને બિસ્કીટ બનાવી એજ ગરીબોને વેચાય છે અને 3 હજારથી વધુ ગરીબોનાં ઘઉં બારોબાર વેચી મારી કરોડો રૂપિયા ખાઈને કોઈ ઓડકાર પણ લેતું નથી.
દિનદયાળના નામે ખુલેલાઆ સસ્તા અનાજની દુકાનના માલિકોને દયા નથી એટલે ઢગલાબંધ ઘઉં ગરીબોના બદલે આટા માલીકોને વેચાય છે, ખુલ્લેઆમ ચાલતાં આ કાળાબજારને રોકવાનું શક્ય છે પરંતુ ડી.એસ.ઓ રાઠવાને ઘઉંમાંથી મળતી મલાઈએ એમના હાથ એટલા ચીકણા કર્યા છે કે આ કૌભાંડની ફાઈલ એમના હાથમાંથી લસરીને નીચે પડી જાય છે.અને ઘઉં વેચવાનું ગેરકાયદે કારખાનું સુરતમાં ધમધોકાર ચાલે છે અને ગરીબો ઘઉંના એકએક દાણા માટે તલસી રહ્યા છે. એટલેજ રાઠોડની નજરમાં સુરતના ગરીબો માટે નવું સૂત્ર બન્યુ છે.
હુ છું પુરવઠા ખાતાનો રાઉડી રાઠોડએટલે ભૂખ્યું છે ગુજરાત


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.