ગુજરાતમાં સોમવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1109 નવા પોઝિટિવ કેસો (Corona Positive Case) સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 22ના મરણ નોંધાયા છે.
રાજ્યમાં સતત 14માં દિવસે 1 હજારથી વધુ અને 8મીં વખત 1100થી વધુ નવા કેસો નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 64,684 પર પહોંચી ગઈ છે. જ્યારે રાજ્યમાં કુલ 2487 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા
રાજ્યમાં સોમવારે સૌથી વધુ 258 નવા પોઝિટિવ કેસ સુરત જિલ્લામાંથી મળી આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 151, વડોદરામાં 98, રાજકોટમાં 85, ભાવનગરમાં 47, જામનગરમાં 34, દાહોદમાં 29, મહેસાણામાં 26 અને જૂનાગઢમાં 21 નવા કેસ સામે આવ્યા છે.
જ્યારે ગુજરાતમાં સોમવારે જીવલેણ કોરોના 22 લોકોને ભરખી ચૂક્યો છે. જેમાં સુરત જિલ્લામાં સૌથી વધુ 11 દર્દીઓ કોરોનાના કારણે મોતને ભેટ્યા છે. જ્યારે અમદાવાદમાં 6 દર્દીઓના મરણ નોંધાયા છે. આ ઉપરાંત ભાવનગર, જૂનાગઢ, કચ્છ, રાજકોટ અને વડોદરામાં એક-એક દર્દીનું કોરોનાના કારણે મોત નીપજ્યું છે.