શહેરની સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટરનો મૃતદેહ તેના ઘરેથી મળી આવ્યો હતો. પ્રાથમિક તબક્કે એવું જાણવા મળી રહ્યું છે કે એનેસ્થેયાનો અભ્યાસ કરતાં ડોક્ટરે હાથમાં ઈન્જેક્શન લઈને આત્મહત્યા કરી હતી. ડોક્ટરે તેની ફિયાન્સી અને ફિયાન્સીની બહેનને ઉદ્દેશીને લખેલી એક ભાવુક સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે. આ ઘટનાની જાણ થતાં જ સીનિયર ડોક્ટર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
ડો. વૈભવ જયંતિ સોનવીયા સુરત સિવિલમાં એનેસ્થેસિયાના ચોથા વર્ષમાં અભ્યાસ કરતો હતો. શુક્રવારે સવારે વૈભવના રૂમમાંથી કોઈ હલચલ ન જોવા મળતાં ન આવતાં પરિવારના સભ્યોએ રૂમ તપાસ કરી તો બેડ પર ડો. વૈભવ બેભાન અવસ્થામાં જોવા મળ્યો હતો. જેથી પરિવારના સભ્યોએ રોકકળ કરી મૂકી હતી. જેને પગલે ઘરના સભ્યો અને અડોશ-પડોશના લોકો એકત્ર થઈ ગયા હતા. ડો. વૈભવને તાત્કાલિક સિવિલના ટ્રોમા સેન્ટરમાં લઈ જવાયો હતો. જ્યાં તબીબોએ ડો. વૈભવને મૃત જાહેર કર્યો હતો.
ડોક્ટરે લખેલી આ સ્યુસાઈડ નોટમાં તેની વાગ્દતા અને તેની બહેનને ઉદ્દેશીને ભાવુક વાતો લખી છે. આ ઘટનાથી ડોક્ટરના પરિવારજનો આઘાતમાં છે. વૈભવની ફિયાન્સીએ લગ્નનો ઇન્કાર કરતા તેણે આવું દુખદ અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા પરિવારજનોએ વ્યક્ત કરી છે.
વૈભવે સ્યૂસાઈડ નોટમાં લખ્યું હતું કે, ‘મારા મોતના જવાબદાર હેતલ પટેલ છે. અને સ્વાતી પરવટિયા છે. હેતલ પટેલના કારણે મારો સંબંધ સ્વાતી જોડે તૂટી ગયો અને હું હવે એના વગર નથી જીવી શકતો. મે બધા જ પ્રયત્નો કર્યા પરંતુ સ્વાતી વગર જીવાતુ નથી હવે. મારી છેલ્લી ઈચ્છા છે કે, સ્વાતી અને હેતલ એમના કર્મોની સજા મળે અને મારી લાશને સ્વાતીના ઘર પાસેથી લઈ જવામાં આવે એટલે એને ખબર પડે કે મે તેને જે વાયદો આપ્યો હતો કે તારા વગર ન જીવી શકુ તે સાચો હતો, ભલે તે મારી જોડે જે કર્યુ તે. તારો વૈભવ.’


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.