હાલમાં વિશ્વભરમાં કોરોનાવાયરસ ચાલી રહ્યો છે ત્યારે world health organisation દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ભારતમાં પણ covid-19 ના કેસો નોંધાયા છે જે બાબતે ભારત સરકાર શ્રી અને ગુજરાત સરકાર શ્રી દ્વારા સમયાંતરે કોરોનાવાયરસ ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવે છે. સુરત શહેરમાં સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે રાંદેર ઝોનના અડાજણ પાટીયા થી ડભોલી બ્રીજ સુધી રાંદેર રોડના ઉત્તર-પૂર્વ તરફ તાપી નદી સુધીનો વિસ્તાર એટલે કે અડાજણ પાટીયા, કોઝવે રોડ, ગોરાટ, રાંદેર ગામ, હનુમાન ટેકરી સ્ટેડિયમનો આજુબાજુના વિસ્તારમાં વિશાળ સંખ્યામાં લોકોની અવરજવર થતી હોવાનું ધ્યાને આવેલ છે, જેથી કોરોનાવાયરસ ને કારણે social distancing જળવાવું જોઇએ તે જળવાતું નથી જેથી કોરોનાવાયરસ સંક્રમણ ફેલાવવાની ઘણી શક્યતાઓ રહેલી છે. આથી બછાનિધિ પાણી આઈએએસ કમિશનર સુરત મહાનગર પાલીકા, સુરત ગુજરાત રાજ્ય ડિસીઝ એક્ટ 1897 ની કલમ 2,3 અને 4 થી પ્રાપ્ત સત્તા અન્વયે તથા ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સચિવાલય ગાંધીનગરના જાહેરનામા ક્રમાંક નંબર NCV/102020/SF-1/G, date: 20-03-2020 ના પેરા-11 થી મળેલ અધિકારની રૂએ સુરત મહાનગરપાલિકા માં આવેલ “રાંદેર ઝોન વિસ્તારના મુખ્ય રોડ ઉત્તર-પૂર્વ તરફ તાપી નદી સુધીનો વિસ્તાર એટલે કે અડાજણ પાટીયા, કોઝવે રોડ, ગોરાટ, રાંદેર ગામ, હનુમાન ટેકરી, ભાણકી સ્ટેડિયમનો આજુબાજુના વિસ્તારમાં” રહેતા લોકોને તારીખ 7-4-2020 થી આગામી તારીખ 14-04-2020 સુધી ફરજિયાત હોમ-કોરોન્ટાઇન માં રહેવા હુકમ કરું છું ઉપરોક્ત હુકમ નો ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અન્યથા સદર હુકમનો અનાદર કરનાર ની સામે ઇન્ડિયન પીનલ કોડની કલમ-188 તથા એપેમેડમિક ડીઝીઝ એક્ટ 1897 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.