મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા અનલોક-1 બાદ શહેરમાં જાણે કોરોનાનો રાફડ ફાટી નીકળ્યો હોય એવું લાગી રહ્યું છે. હવે તો રાજ્યના આરોગ્ય મંત્રી પણ કોરોનાની ઝપટમાં આવી જાય તો નવાઈની વાત નહીં. આજ રોજ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્રવધુને કોરોના પોઝિટીવ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. આરોગ્ય મંત્રીના ઘરમાં જ કોરોના પોઝિટીવ આવતા તંત્ર દોડતું થયું છે. હાલ તેમની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
સુરતમાં કોરોનાના બેફામ વધી રહેલા કેસોએ આરોગ્ય મંત્રીના ઘરનો પણ ભરડો લીધો છે. શહેરમાં રોજ 100 ના રેશિયામાં કેસો નોંધાઈ રહ્યા છે. જો કે આજે આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ સુરતની મુલાકાતે હતા