કોરોનાની મહામારી અને વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેવાની માંગને ધ્યાનમાં રાખીને નર્મદ યુનિ. ના હોમિયોપેથીક ડિપાર્ટમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓના હીતને ધ્યાનમાં રાખીને ઓનલાઈન એંસીક્યૂ આધારીત પરીક્ષા લેવાનો સરાહનીય નિર્ણય કરવામાં આવ્યો છે. પરુતું અન્ય ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર ઓનલાઈન પરીક્ષા લેવાની માંગણી કરી હોવા છતા નર્મદ યુનિ. દ્વારા લો ફેકલ્ટી સહીત તમામ ફેકલ્ટી માટે ઓફલાઈન પરીક્ષાનું આયોજન કરાતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે કે જો હોમિયોપેથી ફેકલ્ટીમાં ઓનલાઈન પરીક્ષા લઈ શકાતી હોય તો લો ફેકલ્ટી સહીત અન્ય ફેકલ્ટીમાં કેમ નહીં? હાલ કોલેજોનું નવું સત્ર શરુ થઈ ગયું છે ત્યારે હજી પરીક્ષા ક્યારે લેવાશે અને પરીણામ ક્યારે આવશે આ અંગે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે. વિદ્યાર્થીઓની આ મૂંઝવણ અંગે સિન્ડીકેટ મેમ્બર ભાવેશ રબારી દ્વારા હોમિયોપેથીક ફેકલ્ટીની જેમ જ લો સહીત અન્ય ફેકલ્ટીમાં પણ ઓનલાઈન પરીક્ષા લેવા માંગ કરાઈ છે.
યુજીસી અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે કોરોનાની મહામારી વચ્ચે વિદ્યાર્થીઓમાં સંક્રમણ ન ફેલાય તે માટે સેનેટ મેમ્બર દ્વારા લો સહીત અન્ય ફેકલ્ટીમાં પણ ઓનલાઈન પરીક્ષા લેવાની માંગ કરાી હતી. પરંતું હાલમાં નર્મદ યુનિ. દ્વારા વિદ્યાર્થીઓના જીવના જોખમે પીજી અને યુજીમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીની પરીક્ષાઓ ઓફલાઈન લેવાઈ રહી છે. પરંતું જો કોરોનાના ડરને કારણે હોમિયોપેથિક ફેકલ્ટીમાં જો પરીક્ષા ઓનલાઈન લેવાઈ શકતી હોય તો અન્ય ફેકલ્ટીમાં પણ આ રીતે પરીક્ષા લેવી શક્ય છે. ઉપરાંત હાલમાં લેવાય રહેલી અને આગામી દિવસોમાં લેવાનારી ઓફલાઈન યુનિ. ની પરીક્ષાઓના પેપર તપાસવા તેમજ પરીણામ જાહેર કરવામાં ખૂબ વિલંબ સર્જાય તેવી પરિસ્થિતિ છે. આ તમામ પરીક્ષાઓના પરીણામ આવતા પ્રથમ સત્ર પૂર્ણ થઈ જાય તેમ હોય વિદ્યાર્થીઓની ઓપલાઈન પરીક્ષા લેવામાં આવે તો નવું સત્ર ઝડપથી શરૂ કરી શકાય.