BREAKING NEWS ભાજપ યુવા મોરચાના વિજય ટંકાર યુવા સંમેલનો પાટીદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો,જેની સામે પોલીસે લાઠીચાર્જ કર્યો.પોલીસના લાઠીચાર્જ બાદ ઉશ્કેરાયેલા ટોળાએ બીઆરટીએસ બસને આગ ચાંપી દિધી હતી.જેના કારણે વાતાવરણ છે ડોહલાયું અને પોલીસે ચાંપતો બંદોબત ગોઠવી દીધો છે.હાલ વરાછાના હિરા બાગ વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ નોવા મળ્યું છે.જે પરિસ્થિતિને થાળે પાડવા પોલીસ પરસેવે રેબઝેબ થઈ રહી છે.
સુરત: વરાછા વિસ્તારમાં આયોજિત ભાજપ યુવા મોરચાના વિજય ટંકાર યુવા સમેલનનો પાટીદારો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.કાર્યક્રમ શરૂ થાય તે પહેલા પાટીદારોનું મોટું ટોળુ ત્યાં પોહચી ગયું હતું અને જય સરદર – જય પાટીદારના નારા લગાવ્યા હતા.પોલીસે મામલાને થાળે પાડવા હળવો લાઠીચાર્જ કરી દાસ જેટલા પાટીદારોની અટકાયત પણ કરી હતી.
વીઓ : વરાછા સ્થિત સૌરાષ્ટ્ર સોસાયટીની વાડીમાં ભાજપ યુવા મોરચાના વિજય ટંકાર યુવા સંમેલન નું આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભાજપ યુવા મોરચાના કાર્યકરો સહિત પ્રદેશ અધ્યક્ષ ઋત્વિજ પટેલ હાજર રહ્યા હતા..કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ પાટીદારોનું મોટું ટોળુ સંમેલન સ્થળે પોહચ્યુ હતું અને કાર્યક્રમનો વિરોધ કર્યો હતો..પાટીદારોએ કાર્યક્રમનો વિરોધ કરતા જય સરદાર – જય પાટીદારના નારા લગાવ્યા હતા.ઉપરાંત ભાજપ વિરોધી સુત્રોચાર પણ કર્યા હતા.ઘટનાના પગલે પોલીસે મામલો થાળે પાડવા હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો….જેની સામે ટોળા દ્વારા પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.જેને લઈ દસથી વધુ પાટીદારોની પોલીસ દ્વારા અટકાયત કરવામા આવી હતી.પરિસ્થિતિ વધુ ન વનશે તેને લઈ સ્થાનિક પોલીસ સહિત અલગ અલગ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે ખડકી દેવાયો હતો.આ સાથે એસઓજી,ડિસીબી તેમજ પિસીબી શાખાના પોલીસ કર્મચારીઓનો મોટો કાફલો ઘટના સ્થળે તૈનાત કરી દેવાયો હતો.ઘટનાં ના પગલે ડીસીપી તેમજ એસીપી કક્ષાના અધીકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાનો ચિતાર મેળવ્યો હતો…
અત્રે ઉલ્લેખનીય છે થોડા દીવસ અગાઉ સુરતના પુનાગામ વિસ્તારમાં પણ ભાજપ યુવા મોરચાનો વિજય ટંકાર યુવા સંમેલન યોજાયો હતો ,જે દરમ્યાન ત્યાં પણ પાટીદારોએ આ કાર્યક્રમનો વિરોધ કર્યો હતો…જો કે આજ રોજ ફરી આ કાર્યક્રમનો પાટીદારો દ્વારા વિરોધ કરવાની સાથે ભાજપ વિરોધી સુત્રોચાર કરવામાં આવ્યા હતા..