સુરત શહેરમાં પોઝીટીવ કેસ સતત વધી રહ્યા છે. સુરત શહેરમાં કોરોના પોઝીટીવ કેસનો કુલ આંક 400 ને પાર થઈ ચુક્યા છે. ત્યારે હવે શહેરમા શુક્રવારે અડાજણ વિસ્તારમાંથી આજે વધુ 2 પોઝીટીવ કેસ સામે આવ્યા છે.
સુરતમાં રાંદેર ઝોનના અડાજણ હની પાર્ક સ્થિત SMC અવાસમાંથી પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. SMC ટેનામેન્ટમાંથી બે પોઝિટિવ કેસ નોંધાયા છે. 32 વર્ષીય કિશોરભાઈ રાઠોડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અને તેમના ઘરની બાજુમાં જ રહેતા 28 વર્ષીય સાવિત્રી ત્રિવેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેઓની કેસ હીસ્ટ્રી પરથી જાણવામાં આવ્યું છે કે 32 વર્ષીય કિશોરભાઈ રાઠોડ દરરોજ સરદાર માર્કેટમાં શાકભાજી લેવા માટે જતા હતા. અને શાકભાજી લાવીને સાવિત્રીબેન ત્રિવેદીને આપતા હતા. સાવિત્રીબેન ત્રિવેદી પણ દુકાન ચલાવે છે. અને શાકભાજી વેચે છે. જેથી હવે આ સંક્રમણ ક્યાં સુધી ફેલાયું હશે તે તંત્ર માટે ખુબ ચિંતાનો વિષય છે. અને તેની ચેઈન લાંબી ગઈ હશે તે પણ પાક્કુ છે. 32 વર્ષીય કિશોર રાઠોડ મજુરી કામ કરે છે. પણ લોકડાઉનમાં મજુરી કામ બંધ હતું. તેઓ છેલ્લા ઘણા દિવસથી સરદાર માર્કેટ જતા હતા. જ્યાંથી તેઓને સંક્રમણ લાગ્યુ હોય તેમ હાલમાં જાણવામાં આવી રહ્યું છે. અને સાવિત્રીબેનને કિશોરભાઈના થકી ચેપ લાગ્યો હોવાનું જાણવામાં આવ્યું છે. હાલમાં સુરત મહાનગર પાલિકા તંત્રએ 10 ટેનામેન્ટના 320 ઘરોને કર્યા માસ ક્વૉરન્ટીન કર્યા છે. જેથી 1280 લોકોને માસ ક્વૉરન્ટીન કરાયા છે