સુરત અને અમદાવાદમાં વધી રહેલા કેસોને જોતા અમદાવાદથી સુરત ઉપડતી બસ વધુ સાત દિવસ સુધી બંધ રેહશે. આવતી કાલથી અમદાવાદથી સુરતની એસ. ટી બસ શરૂ થવાની હતી. જો કે, સુરતમાં સતત વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી વધુ સાત દિવસ બસ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. સુરતના બસ સેવા ૧૨ ઓગસ્ટ સુધી સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શહેરમાં વધતા જતા કોરોના કેસને લઈને એસ. ટી. વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૧૨ ઓગસ્ટ સુધી સુરતની એસ. ટી બસ સેવા સંપૂર્ણપણે બંધ રહેશે