ફિ ના નિયમો ક્યાંક ને ક્યાંક માસુમ વિદ્યાર્થીની જીંદગી પર ભારે પડતા હોય તેવું આ ઘટનામાં જોવા મળી રહ્યુ છે. એવુ લાગી રહ્યુ છે ભણતરના નામે વેપાર શરૂ થયો હોય. એક સમય હતો જ્યારે શિક્ષકોને એક ભવિષ્યના ઘડવૈયા કહેવામાં આવતા પણ આવી ઘટના જ્યારે બને ત્યારે શાળાએ મોકલતા બાળકો માતા-પિતા પણ પોતાના બાળકોને લઇને ચિંતાનો અનુભવ કરે છે. ત્યારે સુરતના કતારગામ વિસ્તારની શાળાના આચાર્યની માનવતા મરી પરવડી હોય તેવી ઘટના સામે આવી છે. ફી નહીં ભરતા ધોરણ નવમાંં અભ્યાસ કરતા વિધાર્થીને શાળાએથી હાંકી કાઢવામાં આવ્યો હતો. અને આચાર્યના ઠપકા બાદ વિધાર્થીએ આત્મહત્યાનું પગલુ ઉઠાવ્યુ હતુ. અને જો તે ફિ નહી ભરે તો શાળાએથી એલસી લઈ જવા માટે પણ આચાર્યે ધમકાવ્યો હતો. જે બાદ વિધાર્થીએ ઘરે જઇ ફિનાઇલ ઘટઘટાવી સુસાઇડનો પ્રયત્ન કર્યો હતો. હાલ વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.