સુરતમાં કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સિવિલ હોસ્પિટલમાં કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કોવિડ હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઈને પોતાના ઘરે જતી વખતે તેમને એક છોડ આપવામાં આવ્યો હતો. સુરત શહેરના તમામ આઇસોલેશન વોર્ડ તેમજ કોર્પોરેશનની અંદર આવતા તમામ આરોગ્ય કેન્દ્ર ઉપર આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના પોઝિટિવ દર્દીઓને વિનંતી કરવામાં આવી કે, આજે એમને સૌથી વધુ મુશ્કેલી ઓક્સિજન લેવલ ઓછું થવાના કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડયું છે. આવી સ્થિતિ ભવિષ્યમાં આવનાર પેઢીને ન આવે અને આપણે પોતે પણ સુરક્ષિત રહીએ તેવી સમજણ સાથે છોડવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોવિડ હોસ્પિટલની બહાર કોર્પોરેશનની ટીમના હોદ્દેદારો અને અન્ય સ્ટાફ ઊભા રહીને તમામ દર્દીઓને નાના છોડ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલે જણાવ્યું કે, આજથી અમે દર્દીઓને ઘરે ઘરે પરત ફરે તે પહેલા તુલસીના છોડ આપવાની શરૂઆત કરી છે. તુલસીના છોડ સાથે આપણી ધાર્મિક આસ્થા જોડાયેલી છે. પરંતુ સાથે સાથે વૈજ્ઞાનિક રીતે પણ તુલસીના છોડના અનેક લાભો છે. અમે દર્દીઓને પરત ફરી દર્દીઓને ઘરે પરત ફરતી વખતે છોડવા આપીને વૃક્ષારોપણ માટે પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે ઓક્સિજનની અછતના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગૂમાવવો પડયો છે. કોરોના સંક્રમણમાં સૌથી વધુ લાચારી આજે ઓક્સિજનના અભાવને કારણે ચોતરફ વર્તાઈ રહી છે. હવે સમય આવી ગયો છે કે, પ્રકૃતિ સાથે માનવીએ સમન્વય સાધવો પડશે. જેટલાં વૃક્ષો આપણે કાપીએ છીએ. એના કરતાં ચાર ગણા વૃક્ષો વાવવાની જરૂરિયાત સર્જાય છે. આપણે સર્વે સંકલ્પ કરીને આ દિશામાં આગળ વધવું જોઈએ.
Sunday, May 19