સુરત એરપોર્ટ પર લોકડાઉન બાદ શરૂ થયેલી વિમાન સેવાઓ હજી માંડ માંડ નિયમિત થઇ રહી છે ત્યાંતો એક કે બીજા કારણોસર એરકંપનીઓ દ્વારા ફ્લાઇટ રદ્દ કરવામાં આવતા શહેરીજનો માટે અવ્યવસ્થા ઉભી થઇ રહી છે. સ્પાઇસ જેટ દ્વારા કેટલાક કારણો આગળ ધરી 18થી 30 જૂન સુધી દિલ્હી અને હૈદ્રાબાદની ફ્લાઇટ રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી છે. કંપની દ્વારા ફ્લાઇટ બંધ થવાનું કારણ જણાવાયું નથી. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ કમિટીના સંજય શાહે જણાવ્યું હતું કે સ્પાઇસ જેટ કંપની દ્વારા બુધવારે તેની દિલ્હી અને હૈદ્રાબાદની ફ્લાઇટ રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી છે. લોકડાઉન બાદ હાલ સ્પાઇસ જેટ દ્વારા દિલ્હી માટે સવારે અને બપોરે હૈદ્રાબાદની ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવી રહી હતી. સ્પાઇસ જેટની બે ફ્લાઇટ 30 જુન સુધી રદ્દ થઇ જતા હવે સુરત એરપોર્ટથી ઇન્ડિગો કંપનીની એક માત્ર ફ્લાઇટ ઉડાન ભરી રહી છે. જે બપોરે 12 વાગે દિલ્હીથી સુરત આવે છે અને દોઢ વાગે અહીંથી દિલ્હી માટે પરત થઇ જાય છે.
એરપોર્ટના સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ, હાલના તબક્કે સુરત એરપોર્ટથી દિલ્હીથી સુરત અને હૈદ્રાબાદથી સુરત માટે સ્પાઇસ જેટની એક ફ્લાઇટ ચાલુ છે. જેને સ્પાઇસ જેટ કંપની દ્વારા 18 જૂનથી 30 જૂન સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ નવી જાહેરાત થતાં વિમાન શરૂ કરવામાં આવશે. જોકે કંપની દ્વારા ફ્લાઇટ બંધ થવાનું કારણ જણાવાયું નથી. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ કમિટીના સંજય શાહે જણાવ્યું હતું કે સ્પાઇસ જેટ કંપની દ્વારા બુધવારે તેની દિલ્હી અને હૈદ્રાબાદની ફ્લાઇટ રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી છે. લોકડાઉન બાદ હાલ સ્પાઇસ જેટ દ્વારા દિલ્હી માટે સવારે અને બપોરે હૈદ્રાબાદની ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવી રહી હતી.
હવે સુરતથી દિલ્હીની માત્ર ઈન્ડિગોની એક જ ફ્લાઈટ ઉડી રહી છે
સ્પાઇસ જેટની બે ફ્લાઇટ 30 જુન સુધી રદ્દ થઇ જતા હવે સુરત એરપોર્ટથી ઇન્ડિગો કંપનીની એક માત્ર ફ્લાઇટ ઉડાન ભરી રહી છે. જે બપોરે 12 વાગે દિલ્હીથી સુરત આવે છે અને દોઢ વાગે અહીંથી દિલ્હી માટે પરત થઇ જાય છે.સ્પાઇસ જેટ દ્વારા ફ્લાઇટ બંધ થવા પાછળ ઓપરેશન કારણને જવાબદાર ગણાવાઇ રહ્યુ છે. જોકે દિલ્હી અને કેટલાક શહેરોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી જતા પેસેન્જરો નહી મળતા ફ્લાઇટ રદ્દ કરવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.