સુરતમાં કોરોના પોઝીટીવ કેસથી સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે એક જ દિવસમાં કોરોના પોઝિટિવ બે દર્દીઓના મોત થતા તંત્રની દોડધામ વધી ગઈ છે. સૌથી વધુ કોરોના પોઝિટિવના કેસ સુરતના રાંદેર વિસ્તારમાંથી નોંધાયા છે.કોરોના પોઝિટિવના એકબાદ એક નોંધાઈ રહેલા કેસના પગલે સુરત સેકન્ડ સ્ટેજમાં પ્રવેશ કરી ચૂક્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના વાયરસના પોઝિટિવ કેસના પગલે રાંદેર વિસ્તારને હોટ સ્પોટ જાહેર કરી દેવામાં આવ્યું છે.જ્યાં રાંદેર ના અલગ અલગ વિસ્તારોને હોમ ક્વોરોન્ટીન કરાયા છે. સુરતમાં કોરોના વાયરસ ના સંક્રમિત ચાર લોકોના હમણાં સુધી મોત નિપજી ચુક્યાં છે.જેન લઈ આરોગ્ય વિભાગની ચિતામાં વધારો થયો છે.કોરોના વાયરસ ના પોઝીટીવ દર્દીઓની સૌથી વધુ સંખ્યા રાંદેર ઝોન વિસ્તારમાંથી સામે આવ્યા છે.જે માટે તંત્રએ અડાજણ પાટિયાથી ગોરાટ રોડ,તાપી નદીના પુલ તરફનો રોડ,કોઝવે રોડ અને જિલાની બ્રિજ તરફનો તમામ વિસ્તાર હોમ ક્વોરોન્ટાઇન જાહેર કર્યો છે.પાલિકા કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા પ્રમાણે ૭ મી થી ૧૪ એપ્રિલ સુધી લોકોને હોમ ક્વોરોન્ટાઇન રહેવા માટે જણાવવામાં આવ્યું છે.જે લોકો આ માર્ગદર્શિકા નો ભંગ કરશે તો તેવા લોકો સામે આપીસી ની કલમ 188 અને એપેડેમીક ડીસીઝ એકટ હેઠળ ગુનો નોંધવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકોની ભારે અવરજવર જોવા મળી હતી.જેને લઈ સોસીયલ ડિસ્ટન્સ નો પણ અભાવ જોવા મળતા તંત્ર દ્વારા આ વિસ્તારોમાં બેરીકેટિંગ કરી પોલીસ તૈનાત કરો દેવામાં આવી છે.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.