સુરતમાં રવિવારે કોરોના વિસ્ફોટ થયો હતો. 24 કલાકમાં સૌથી વધુ 172 કેસ નોંધાતા સુરત પણ અમદાવાદના રસ્તે જઇ રહ્યું હોવાનું જણાય છે. કોરોનાની તેજ રફતારમાં રવિવારે પુણાગામના 65 વર્ષના વૃધ્ધ,કતારગામના 44 વર્ષના આધેડ, રૃદરપુરાના ૫૯ વર્ષના વૃધ્ધા,કતારગામના ૫૫ વર્ષના વૃધ્ધ અને નવાગામના 65 વર્ષના વૃધ્ધા મળી કુલ પાંચ વ્યક્તિના સારવાર દરમિયાન મોત થયા હતા. સુરત શહેરમાં કોરોના બ્લાસ્ટ થતા એક સાથે 150 અને જીલ્લામાં પણ આજસુધીના સૌથી વધુ ૨૨ કેસ મળી કુલ 172 દર્દી કોરોનામાં સપડાયા છે.જયારે શહેરમાંથી 65 દર્દીને રજા અપાઇ હતી.
કોરોના સંક્રમિતમાં ખાનગી હોસ્પિટલના ડૉકટર, મોટા વરાછાના સાડીનો દુકાનદાર, સગરામપુરાના જમીન દલાલ, કેબલ ઓપરેટર, એક અખબારનો કર્મચારી, પ્રાઇવેટ સ્કુલના રીક્ષા ચાલક, બોમ્બે માર્કટનો વોચમેન, સુથાર, વેડરોડના કરીયાણાના દુકાનદાર અને હીરાના કામ સાથે સંકળાયેલા ૩૧વ્યકિતઓ કોરોનામાં સપડાયા હતા.