સુરતમાં છેલ્લા ચોવીસ કલાકમાં હત્યાની બીજી ઘટના પ્રકાશમાં આવી સુરતના માન દરવાજા વિસ્તારમાં આવેલા ટેનામેન્ટમાં રહેતા યુવકની અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ ચપ્પુ વડે ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરી નાંખી. યુવકની હત્યા કોણે અને શા માટે કરી તે અંગેનું કારણ જાણી શકાયું નથી.
હત્યાની આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં પણ ભયનો માંહોલ ઉભો થયો. કેટલાક અસામાજિક તત્વો અહીં પોતાનો અડીગો જમાવી ત્યાંથી પસાર થતી યુવતીઓની મશ્કરી પણ કરતા હોવાના આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યા. ચરસ -ગાંજા સહિત જુગાર જેવી પ્રવૃતિઓ પણ ધનસધમતી હોવાની રાવ સ્થાનિક લોકોએ કરી.
હત્યાની ઘટના બાદ ટેનામેન્ટમાં રહેતા લોકો વચ્ચે રીતસર નાશભગ મચી. જ્યાં ઘટનાની જાણકારી મળતા સલાબતપુરા પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. પોલીસ પોહચે તે પહેલાં હત્યારાઓ ઘટના સ્થળથી નાસી છૂટયા હતા. જ્યારે પોલીસે લાશને પોસ્ટ-મોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ મોકલી હત્યારાઓની શોધખોળ શરૂ કરી.