જીવતા લોકો સરકારી બાબુઓના ત્રાસ અનુભવતા હોય એવા અનેક કિસ્સાઓ આપે સાંભળ્યા હશે પરંતુ મૃત્યુ બાદ પણ સરકારી બાબુઓ કેવી રીતે મૃતકોના પરિજનોને ધક્કો ખવડાવી પૈસા ની માંગ કરી માનવતાને મોત ના ઘાટ ઉતારે છે તેવો બનાવ ત્યારે સામે આવ્યો જ્યારે રાજ્ય વીમા નિગમની કચેરીનો 65 હજારનો પગારદાર મેનેજર વિરેન્દ્ર સિંહ ઉમરાવ સિંહ પાલ 20 હજારની લાંચમાં એસીબીના છટકામાં ભેરવાયો. લાંચિયા મેનેજરે પેન્શન મંજૂર કરવા માટે લાંચ માંગી હતી. રાજ્ય વીમા નિગમની કચેરીમાં મેનેજરની નોકરી કરતા ઉમરાવ સિંધ પાલ રાજ્ય વીમા નિગમમાં ફરજ બજાવે છે અને મહિને 65 હજાર જેટલો પગાર ધરાવે છે.માનવતાની હત્યા કેવી રીતે થાય તે કોઈ સુરતના રાજ્ય વીમા નિગમના મેનેજર વિરેન્દ્ર સિંધ પાલ પાસે થી જાણે. આ નફ્ફટ અધિકારીએ એક પેન્શન મંજૂર કરવા માટે મૃતકના પરિવાર પાસે 20 હજારની લાંચની માંગણી કરી હતી. મહિલાના પતિનું બે મહિના પહેલા અવસાન થયું હતું. કંપની દ્વારા કર્મચારીનો વીમો લેવામાં આવેલો હતો. જેથી ફરજ દરમિયાન અકસ્માતમાં અવસાન થતા પેંશન મેળવવા માટે મહિલાએ રાજ્ય વીમા નિગમની કચેરીમાં ગઈ હતી. જ્યાં પેન્શન મંજૂર કરવા માટે મેનેજર વિરેન્દ્ર સિંધ પાલને મળી હતી. હજુ પેન્શન નક્કી કરાઇ તે પહેલાં જ મેનેજરે 20 હજારની લાંચ માંગી હતી. જે અંગે મહિલાએ પોતાના પુત્ર ને આ અંગે જાણ કરી હતી.પિતાનું અવસાન થયું ઉપરથી માતાને પતિનું પેન્શન મળી રહે, જેનાથી તેનો જીવનનિર્વાહ ચાલે. આ પહેલા જ મેનેજરની આ કરતૂત થી મૃતક ની પત્ની અને પુત્ર બન્ને આહત હતા.લાંચિયા મેનેજરે લાંચની માંગણી કરતા પુત્રએ આવા લાંચિયાને પાઠ ભણાવવા માટે એસીબીમાં ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે લાલદરવાજા સ્થિત કર્મચારી રાજ્ય વીમા નિગમની કચેરીના મેઇન ગેટની સામે એસીબીએ છટકું ગોઠવીને મેનેજર વિરેન્દ્ર સિંહ ઉમરાવ સિંહ પાલને 20 હજારની લાંચ લેતા રંગેહાથે પકડી પાડયો હતો. રાજ્ય વીમા નિગમનો મેનેજર વિરેન્દ્ર સિંહ પાલ વર્ષ 2008થી નોકરીમાં જોડાયો હતો.એક વર્ષ પહેલા તેની રાજસ્થાન જયપુરથી સુરત ખાતે બદલી થઈ હતી.જ્યાં હાલ એસીબી દ્વારા તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એસીબી ના સપાટાને લઈ સરકારી બાબુઓ માં પણ સોપો પડી ગયો.જ્યાં એસીબી દ્વારા હાલ લંચિયા કર્મચારીની મિલકત સંબંધી તપાસ પણ હાથ ધરી છે.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.