સુરતની અપૂર્વ હોસ્પિટલમાં પ્રસૂતાના મોતના પ્રકરણમાં આખરે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં મહિલા ડોક્ટર અને આસિસટન્ટ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ગુનો નોંધાયા બાદ પરિવારજનોએ મૃતદેહ બે દિવસ બાદ સ્વીકારી લીધો છે.
આ સમગ્ર મામલાની વાત કરીએ તો કાપોદ્રાની દયા કેવડિયા નામની પ્રસૂતાના મોત બાદ ડોકટર સહિત બે સામે ફરિયાદ નોંધાતા સુરત ડોકટર એસોસિએશનના સભ્યો સુરત પોલીસ કમિશ્નરને મળવા પહોંચી ગયા હતા અને રજુઆત કરી હતી કે આ ફરિયાદ દબાણમાં લેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન મુજબ ફરિયાદ પર વિચાર કરવામાં આવે.