શહેરમાં કોરોના(Corona)ના કેસ 3000ને પાર થઈ ગયા છે. મૃતકોની સંખ્યા પણ દિવસે દિવસે વધી રહી છે ત્યારે પાલિકા(SMC) તંત્રએ ફરી કડક પગલાં ભરવાનું શરૂ કર્યું છે. શહેરનાં જે વિસ્તારોમાં વધુ કેસ(Case) આવી રહ્યાં છે ત્યાં સોસાયટીઓમાં રહેતા લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવા હુકમ કરાયો છે. કોરોના(Corona)ના કેસને પગલે શુક્રવારે કતારગામ ઝોન, વરાછા ઝોન-બી અને લિંબાયત ઝોનના કુલ 66 સોસાયટીના 14,360 ઘરોમાં રહેતા 60,852 લોકોને શુકવારના રોજ કલસ્ટર જાહેર કરી હોમકવોરન્ટાઇન રહેવા મનપા કમિશ્નરે હુકમ કરયો હતો.
જેમાં કતારગામ ઝોનના લલીતા ચોકડી પાસે આવેલા લલીતા પાર્ક સોસાયટીમાં 961 ઘરોમાં રહેતા 3,844 લોકો, બાપાસીતારામ પાસેની પાર્વતીનગર સોસાયટી વિભાગ-1 માં 574 ઘરોમાં રહેતા 2,296 લોકો, ધનમોરા ચાર રસ્તા પર આવેલી શ્યામવાડી પાસેની 4 સોસાયટીના 1,471 ઘરોમાં રહેતા 5,884 લોકો, કોઝવે રોડ પર આવેલ ગજાનંદ પાર્ક સોસાયટીના 166 ઘરોમાં રહેતા 664 લોકોને, ડેરી ફળિયા પાસેના ખોડિયાર કુપા સોસાયટીના 166 ઘરોમાં રહેતા 664 લોકો, ટી.પી.સ્કીમનં. 27 ના ફા. પ્લોટનં.167 સુમન સ્વર્ગ ખાતે આવેલ બિલ્ડીંગ નં એ થી એફ સુધીનો વિસ્તારમાં 576 ઘરોમાં રહેતા 2592 લોકો, અમરોલી જુના કોસાડના સ્ટાર રેસીડેન્સી બિલ્ડીંગ નં એ થી કે સુધીનો વિસ્તારમાં 704 ઘરોમાં રહેતા 3168 લોકો, લીંબાયત ઝોનના ડિંડોલી વિસ્તારના મહાદેવનગર-2 સોસાયટીના 500 ઘરોમાં રહેતા 2,750 લોકો, વરાછા ઝોન -બી પુણા વિસ્તારની 4 સોસાયટીની 2,590 ઘરોમામ રહેતા 10,376 લોકો, સરથાણાની 12 સોસાયટીની 1,770 ઘરોમાં રહેતા 8,597 લોકો, મોટાવરાછા વિસ્તારની 40 સોસાયટીના 4,632 ઘરોમાં રહેતા 19,017 લોકોને હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા હતા.
વધુ 21 રત્નકલાકારો કોરોનામાં સપડાયા, 15 દિવસમાં 105 રત્નકલાકારોને ચેપ લાગ્યો
અનલોક-1.0 માં મોટા ભાગના ધંધાઓને છુટછાટ મળતા, હીરાના કારખાનાઓ પણ ચાલુ કરી દેવાયા છે. પરંતુ હીરાના કારખાનાઓમાં સોશિયલ ડિસ્ટન્સ અને અન્ય ગાઇડલાઇનનું પાલન નહી થતા રત્નકલાકારો મોટાપાયે કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. તેના કારણે તેના પરિવારજનોમાં પણ કોરોનાનો ચેપ વધી રહ્યો છે. શુક્રવારે વધુ 21 રત્નકલાકારો કોરોનાથી સંક્રમિત થયા હતા. અનલોક-1ની શરૂઆત 1 જૂનથી થયા બાદ તેના ચાર પાંચ દિવસ પછી હીરાના કારખાનાઓ શરૂ થયા હતા ત્યાર બાદ રત્નકલાકારોમાં સંક્રમણ પણ વધ્યું હતું. જેના કારણે આ 15 દિવસમાં જ કુલ 105 રત્નકલાકારોમાં કોરોનાનું સંક્ર્મણ ફેલાઈ ચૂક્યું છે.
કરિયાણા, સોડાના દુકાનદાર, પાનના ગલ્લાવાળાને કોરોનાનો ચેપ લાગ્યો
અનલોક-1.0 માં 1 જુન થી ધંધા રોજગારને છુટછાટ આપવામાં આવી છે. જેના કારણે તમામ દુકાનદારો સુપર સ્પ્રેડર બની રહ્યા છે.શુક્રવારે નોંધાયેલા પોઝિટિવ કેસમાં સેન્ટ્રલ ઝોનમાં સોનીફળીયામાં કરીયાણાની દુકાન ચલાવતા, અઠવાગેટ પર જ્વેલરી દુકાન ચલાવતા, કતારગા્મમાં પાનની દુકાનવાળાને તેમજ કતારગામમાં જ સોડાની દુકાનવાળાને તેમજ સરદાર માર્કેટના એક શાકભાજી વિક્રેતા અને લિંબાયત શાકમાર્કેટના શાકભાજી વિક્રેતાને પોઝિટિવ આવ્યો છે.