શહેરમાં કોરોનાના કેસ દિવસે દિવસે વધતાં જાય છે. પોઝિટિવ કેસોની સંખ્યા વધવાની સાથે મૃતાંક પણ વધી રહ્યો છે. ત્યારે સુરતમાં હજી પણ કેટલાક વિસ્તારો એવા છે જ્યાં કોરોનાએ પ્રવેશ કર્યો નથી. આવા વિસ્તારોને ગ્રીન ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જે વિસ્તારોમાં વધુ કેસ છે તેને રેડ ઝોન અને ઓછા કેસ છે તેને ઓરેન્જ ઝોન જાહેર કરાયા છે. ત્યારે જાણો સુરતમાં કયા વિસ્તારોમાં હજી કોરોનાએ પ્રવેશ કર્યો નથી.
સુરતમાં પોઝિટિવ કેસોની સંખ્યા 462થી વધુ છે જ્યારે 15 લોકોના મોત થયા છે. શહેરના નાનપુરા, સગરામપુરા, સલાબતપુરા, બેગમપુરા, મહિધરપુરા, સૈયદપુરા, ગોપીપુરા, સોની ફળિયા, નાણાવટ, શાહપોર વગેરે વિસ્તારોને રેડ ઝોન જાહેર કરાયા છે. કતારગામ, લિંબાયત, અશ્વનીકુમાર, આંજણા, ઉમરવાડા વગેરે પર રેડ ઝોનમાં છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં કોરોના હજી પણ છેટો રહ્યો છે. આ ઝોનમાં મજૂરા, ટૂંકી, ખટોદરા, કરંજ, અલથાણ, ઉમરા, વરિયાવ, સરથાણા, ઉન, ગભેણી, જીયાવ, ભીમરાડ, સરસાણા, ખજોદ, આભવા, રૂંઢ, મગદલ્લા, ગવિયર, ડુમસ, ભીમપોર તેમજ સુલતાનાબાદ વગેરે વિસ્તારો હજી પણ કોરોનાથી છેટા રહ્યાં છે. જોકે સમગ્ર શહેરમાં લોકડાઉનને પગલે લોકોને ઘરમાં રહેવાની ફરજ પડી છે પરંતુ આ વિસ્તારોમાં સંક્રમણના કેસ નહીં મળતા હાલ આ વિસ્તારો કોરોનાથી સેફ છે તેમ કહી શકાય.