પૂણેના ભીમા કોરેગાંવ ઘટનાના પગલે મહારાષ્ટ્ર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર બંધની અસરના કારણે સુરતથી મહારાષ્ટ્ર જતી 31 બસના રૂટ કેન્સલ કરવામાં આવ્યાં છે. જેથી સુરતમાં પણ પેસેન્જરની હાલત કફોડી થઈ હતી. દરમિયાન ઉધના સ્ટેશન ખાતે લોકો રસ્તા પર ઉતર્યા હતા. અને ચક્કાજામની સ્થિતિ ઉદભવી હતી. ઉધના સ્ટેશન પર બે ટ્રેન પણ અટકાવી દેવામાં આવી હતી. દરમિયાન ઉધના ખાતે આવેલા ભાજપના કાર્યાલય પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. સાથે જ આવતીકાલે સુરત બંધનું સમતા સૈનિક દળ દ્વારા એલાન કરવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રની હીંસામાં આજે સુરતમાં ઉધના રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં દેખાવો યોજ્યા હતાં. ત્યારે આજે મહારાષ્ટ્ર બંધ બાદ આવતીકાલે ચોથી ડિસેમ્બરના રોજ બંધનું એલાન આપવામાં આવ્યું છે. સમતા સૈનિક દળ દ્વારા આપવામાં આવેલા બંધના એલાનથી તંત્ર હરકતમાં આવી ગયું છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.