ઉત્તરપ્રદેશમાં તિરંગા યાત્રા દરમ્યાન થયેલી હિંસામાં યુવકના મોતના પગલે ભારે હિંસા ફાટી નીકળી હતી.આ હિંસામાં ઉંમર વૈશ્ય સમાજના યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. ઉત્તરપ્રદેશમાં દેશદ્રોહીની ભાવના રાખનાર તત્વો દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સુરત ઉંમર વૈશ્ય સમાજે કર્યા છે. જ્યાં જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે સુરત જિલ્લા કલેકટર મારફતે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાનને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સુરત જિલ્લા કલેકટર કચેરી આવેદનપત્ર આપવા પોહચેલા ઉંમર વૈશ્ય સમાજના લોકોએ પાકિસ્તાન સામે ભારે સુત્રોચાર કરી મુરદાબાદના ના નારા લગાવ્યા હતા. સમાજના પ્રમુખ સંતોષ શાહે જણાવ્યું કે ,ભારતમાં રહી ભારત સાથે દેશદ્રોહ તરીકેની નિતી નાવવામાં આવી રહી છે. ઉત્તરપ્રદેશમાં તીરંગા યાત્રા દરમ્યાન જે યુવકનું મોત થયું,તે ઉંમર વૈશ્ય સમાજથી છે.સમાજના યુવકના મોતને લઈ પરિવારને યોગ્ય વળતર ચુકવવામાં આવસાથે જ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આજ રોજ ઉત્તરપ્રદેશ સરકારને સુરત જિલ્લા કલેકટર મારફતે આવેદનપત્ર આપી રજુવાત કરવામાં આવી છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.