અસામાજિક તત્વોને કડક પગલાં સાથે નિયંત્રણમાં લેવા મુખ્યમંત્રીનો આદેશ

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
2 Min Read

“રાજ્ય સ્વાગત” કાર્યક્રમમાં નાગરિકોની રજૂઆતો પર ગંભીરતાપૂર્વક પ્રતિસાદ

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જુલાઈના “રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ” દરમિયાન નાગરિકોની રજૂઆતો સંવેદનાશીલ રીતે સાંભળી અને તાત્કાલિક પગલાં લેવા સ્પષ્ટ આદેશો આપ્યા.

વિશેષ કરીને અસામાજિક તત્વો દ્વારા લોકોની હેરાનગતી, ધમકી, દબાણ વિશે મળેલી રજૂઆતો પર તેમણે પોલીસ અને વહીવટી તંત્રને કહ્યુ કે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી લોકોમાં સુરક્ષા અને વિશ્વાસ રહે.

પીડિત ખેડૂતને તાત્કાલિક મદદ: રસ્તો બંધ કરનાર સામે કાર્યવાહી

મુખ્યમંત્રીશ્રીએ ખાસ કરીને એક ખેડૂતની ફરિયાદનો ઉલ્લેખ કર્યો હતો કે જેના ખેતરમાં જવાનો માર્ગ કેટલાક માથાભારે તત્વોએ બંદ કરી દીધો હતો અને તેને શારીરિક હેરાનગતી આપી હતી. આ ઘટનાને ગંભીરતાથી લેતા મુખ્યમંત્રીએ પોલીસ તથા જિલ્લા વહીવટી તંત્રને તાત્કાલિક રક્ષણ અને રસ્તો ખુલ્લો કરાવવાની સૂચના આપી.

Swagat July 2025 Public Grievances 2.jpeg

રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં કુલ ૧૦૮ રજૂઆતો, ૧૧ પ્રત્યક્ષ સાંભળી

આ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાંથી ૧૦૮ રજૂઆતો પ્રાપ્ત થઈ હતી. તેમાથી ૧૧ રજૂઆતો મુખ્યમંત્રીએ સ્વયં સાંભળી અને સંબંધિત અધિકારીઓને પોઝિટિવ દૃષ્ટિકોણથી ઝડપી નિરાકરણ માટે સૂચના આપી. બાકી ૯૭ રજૂઆતો સંબંધિત જિલ્લા તંત્ર અને વિભાગોને આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવી.

દબાણો દૂર કરવા, જમીનના મુદ્દાઓ અને જાહેર વિસ્તારો પર પગલાં લેવા આદેશ
પ્રાપ્ત થયેલી રજૂઆતોમાં ગૌચર જમીન પરના દબાણો, જાહેર જગ્યા પરના બિનઅધિકૃત કબજાઓ, જી.આઈ.ડી.સી.ના પ્લોટમાં નામ ફેરફાર જેવા મુદ્દાઓનો સમાવેશ થતો હતો. મુખ્યમંત્રીએ આ બાબતોમાં લોકોને ન્યાય મળે અને જાહેર હિત ન ઉલાંઘાય એ માટે ઝડપથી પગલાં લેવા અધિકારીઓને સૂચના આપી.

Swagat July 2025 Public Grievances 1.jpg

સમગ્ર રાજ્યમાં લાખો લોકોની સમસ્યાઓ સાંભળી

આ “રાજ્ય સ્વાગત” કાર્યક્રમ સાથે સંબંધિત જિલ્લામાંથી ૧૩૨૩, તાલુકા સ્તરે ૨૮૭૯ અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૨૩૯ રજૂઆતો મળી હતી, જેના પર તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

અધિકારીઓની ઉપસ્થિતિમાં નાગરિકોની વાતને આપવામાં આવી પ્રાથમિકતા

મુખ્યમંત્રીશ્રીના સાથે તેમના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ, અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંહ, સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે અને મુખ્યમંત્રીના ઓ.એસ.ડી. સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. તમામ અધિકારીઓએ રજુઆતોના વિષયો નોંધીને સંબંધિત વિભાગો સુધી પહોંચાડ્યા હતા.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.