ભારતે પોતાના યુદ્ધ ના શસ્ત્રોને મજૂબૂત કરવા માટે ગઈકાલે પરમાણુ હથિયારો થી લેસ્સ અગ્નિ-5નું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ને સફળતા મળી હતી. અગ્નિ-5 મિસાઇલ પોતાની સાથે એકથી વધુ નુક્લિઅર હથિયારો લઇ જય શકે છે. આનાથી એક કરતા વધારે ટાર્ગેટને એક જોડે હુમલો કરવાની તાકાત રાખે છે. જેનાથી દુશ્મન ના ડિફેન્સને બરબાદ કરી શકે છે. અગ્નિ-5 મિસાઇલ
અગ્નિ-5 મિસાઇલની સફળતા થી હવે ભારતના ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા હવે અગ્નિ-6 ને બનાવવાની કારગીરી જોરશોરથી કામ હાથે લીધું છે. ભારત પેહલાથી જ વિશ્વની મોટી મિસાઇલ શક્તિઓમાં સામેલ છે ત્યારે અગ્નિ-6ને સંપૂર્ણ રીતે વિકસાવવા બાદ ભારતની શક્તિ અને મહત્વમાં વધારો થવાનો છે.
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ ડીઆરડીઓને અગ્નિ-5ની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે ‘ આ મિસાઇલના સેનામાં સામેલ થવાથી દેશની સામરિક અને રક્ષાત્મક વ્યુહરચના ઘણી મજબૂત થશે. આ સાથે જ આતંરખંડીય મિસાઇલ ધરાવતો ભારત વિશ્વનો 6 દેશ બની ગયો છે ‘.

SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.