સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાતા ફેક ન્યૂઝ અને અફવાઓને રોકવા માટે કેન્દ્ર સરકાર આઈટી એક્ટની ધારા 79માં સંશોધન કરવાની તૈયારી કરી રહી છે. આ કાયદામાં જરૂરી ફેરફાર કરવા માટે સરકાર તરફથી ડ્રાફ્ટ પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટને આઈટી મંત્રાલયની વેબસાઈટ પર પણ રજૂ કરવામાં આવ્યો છે અને સરકારે તેના પર નિષ્ણાંતોના મત પણ માંગ્યા છે. આ અંગેનો નિર્ણય 15 જાન્યુઆરી સુધીમાં સરકારને સોંપી દેવામાં આવશે.
ડ્રાફ્ટમાં જણાવ્યાનુસાર તે તમામમ કંપનીઓ જેમના 50 લાખથી વધારે યૂઝર્સ છે તેમણે કંપની એક્ટ હેઠળ ભારતમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને એક નોડલ અધિકારીની નિયુક્તિ પણ કરવી પડશે. અત્યાર સુધી ભારતમાં એવો કાયદો નથી જેનાથી સોશિયલ મીડિયા કંપનીઓની જવાબદારી નક્કી કરી શકાય. પરંતુ આ ડ્રાફ્ટ અમલમાં આવશે તો કંપનીઓની જવાબદારી નક્કી થશે.
સરકાર આઈટી એક્ટની ધારા 79 હેઠળ ઈંટરમીડિયરીઝ માટે નિયમોમાં ફેરફાર કરવા માંગે છે. તે અનુસાર ફેસબુક, ટ્વિટર, ગૂગલ, યાહૂ, વોટ્સએપ જેવી સોશિયલ મીડિયા કંપનીઓને તેમના પ્લેટફોર્મ પર પોસ્ટ થતા કંટેંટને કંટ્રોલ કરવાની જવાબદારી લેવી પડશે. નવા ડ્રાફ્ટમાં સોશિયલ મીડિયા કંપનીઓએ 72 કલાકની અંદર સરકારને તેના પ્રશ્નોનો જવાબ આપવો પડશે. સાથે જ કંપનીઓએ સરકારને મેસેજ ઈન્ક્રિપ્શન કરવાનો અધિકાર આપવો પડશે.
આઈટી મંત્રાલયએ આ ડ્રાફ્ટ અનુસાર સોશિયલ મીડિયા પર કોઈ કાયદાનો ભંગ કરનાર, ઉત્પીડન કરનાર, અખંડતા અને સૌહાર્દ નુકસાન પહોંચાડનાર, અશ્લીલ કંટેંટ પોસ્ટ કરી શકાશે નહીં. જો આવી કોઈ પોસ્ટ થશે તો 72 કલાકની અંદર કંપનીઓ સરકારને તેનો સોર્સ જણાવવો પડશે. દેશની સુરક્ષા, સાઈબર સિક્યોરિટી અને અપરાધની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત કંટેટ વિશે 24 કલાકમાં જાણકારી આપવી પડશે જેનાથી કોઈ વ્યક્તિની માનહાનિ થતી હોય.