વોડાફોન, આઈડીયા અને ભારતીય એરટેલ દ્વારા પ્રતિ વ્યક્તિ ઓછો ખર્ચ કરનાર શ્રેણીમાં જે યુઝર્સ આવતા હશે તેમના સિમ કાર્ડ બંધ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીના જણાવ્યા પ્રમાણે દર મહિને જે યુઝર્સ 35 રૂપિયાથી ઓછો ખર્ચ કરતો હશે તે લોકોનું મોબાઈલ કનેક્શન બંધ કરી દેવામાં આવશે.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આશરે 200 કરોડ યુઝર્સના 2 જી મોબાઈલ કનેકેશન બંધ થઈ શકે તેમ છે. હાલ ગણતરી પ્રમાણે એરટેલના આશરે 10 કરોડ લોકો અને વોડાફોન અને આઈડીયાના 15 કરોડ કનેક્શન બંધ થઈ જશે.