UIDAIએ આધારમાં કેટલાક જરૂરી બદલાવ કરવાનો નિર્ણય કર્યો છે. UIDAIએ વર્ચુઅલ આઇડીની શરૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. હવે તમામ સેવાઓ અને સુવિધાઓનો લાભ લેવા માટે આધાર નંબર આપવાની જરૂર નહી રહે. હવે સરકાર આધાર વર્ચુઅલ આઇડીનો ઉપયોગ કરવાને પ્રોત્સાહન આપશે. આ તમામ પગલાં આધારની માહિતીને સુરક્ષિત કરવા માટે લેવામાં આવી રહ્યા છે. જોકે 1 જૂનથી તમારું આધાર બેકાર થઇ શકે છે. જી હા, આધાર બેકાર થવાનો મતલબ એ નથી કે તમારું આધાર વેલિડ નહી રહે. પરંતુ તેનો ઉપયોગ ‘ભાગ્યે’ જ કરવામાં આવી શકે છે. કારણ કે, હવે આધારની જગ્યાએ આધાર વર્ચુઅલ આઇડી લઇ લેશે. પરંતુ શું છે આ વર્ચુઅલ આઇડી? શું છે તેનો ફાયદો? સમાન્ય જનતા આ આઇડીને ઉપયોગ કઇ રીતે કરી શકશે? કઇ રીતે જનરેટ કરવામાં આવશે આ આઇડી? આ તમામ સવાલોના જવાબ અમે તમને આપીશું. આધાર વર્ચુઅલ આઇડી એક પ્રકારનો ટેમ્પરરી નંબર છે.આ આઇડીમાં 16 અંકનો ટેમ્પરરી નંબર હશે. જો તેને આધારનો ક્લોન કહેવામાં આવે તો ખોટું નથી. તેમાં કેટલીક જ માહિતી હશે. UIDAI યૂઝર્સને દરેક આધારનો એક વર્ચુઅલ આઇડી તૈયાર કરવાની તક આપશે. જો કોઇને ક્યાંય પોતાના આધારની માહિતી આપવી છે તો તે 12 આંકડાના આધારની જગ્યાએ 16 આંકડાનો વર્ચુઅલ આડી આપી શકે છે. વર્ચુઅલ આઇડી જનરેટ કરવાની સુવિધા 1 જૂનથી અનિવાર્ય થઇ જશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.