ભારત ટૂંક સમયમાં મિસાઇલ ટેક્નોલૉજી ક્ષેત્રે મોટી સફળતા પ્રાપ્ત કરી રહ્યુ છે.વર્ષ 2020 સુધીમાં ભારતીય સંરક્ષણ સંસ્થા (ડીઆરડીઓ) મિસાઈલ ટેક્નોલૉજીમાં અાત્મનિર્ભર થઈ જશે. વર્ષ 2014માં મોદી સરકાર સત્તામાં આવી ત્યાર પછી વર્ષ 2022 સુધી ભારતને મિસાઇલ વિકસિત કરવા માટે અાત્મનિર્ભર બનાવવાનું લક્ષ્ય રાખ્યું હતું, જે હવે નિશ્ચિત સમયથી બે વર્ષ પહેલાં જ પૂર્ણ થશે.
DRDO દ્વારા મિસાઈલ બનાવવાની ટેક્નોલૉજીને વિકસાવવાથી માત્ર ભારત અાત્મનિર્ભર જ નહીં, પણ 15 હજારથી 20 હજાર કરોડ રૂપિયાની બચત પણ થશે.આ મિસાઈલ વિકસિત થઈ રહેલ ખર્ચ 30 થી 40 ટકા છે.તાજેતરમાં જ ડીઆરડીઓએ સ્વદેશી તકનીકથી બ્રહ્મોસ ક્રૂઝ મિસાઈલને વિકસાવવામાં સફળતા મેળવી હતી.આ મિસાઈલ અવાજની ઝડપે લક્ષ્યને વેધી શકે તેવી છે.
સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ડીઆરડીઓએ મિસાઇલ વિકસિત કરવા માટે આત્મનિર્ભરતા મેળવવાના દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે અને વર્ષ 2020 સુધીમાં મિસાઇલ વિકસાવવાનું સંપૂર્ણપણે અાત્મનિર્ભર બનશે.ભારત લાંબા અંતર સુધી જતી મિસાઇલો બનાવવા પહેલાંથી અાત્મનિર્ભર છે. ભારત પાસે લાંબા અંતર સુધી હરાવવા સક્ષમ અગ્નિ મિસાઇલને વિકસાવવામાં આવી છે. અગ્ની મિસાઇલ્સ 700 કિ.મી. થી 5,500 કિ.મી. સુધી લક્ષ્યાંકને છેદ્રિત કરી શકાય છે.ડીઆરડીઓના આ પગલાથી સ્વદેશી તકનીકથી વિકસિત મિસાઇલોનો લક્ષ્યાંક ચોકસાઈ સાથે ભિન્નતાની ક્ષમતામાં વધારો કર્યો છે.