રાજય સરકારનાં વાહન વ્યવહાર વિભાગનો આ અંગે મહત્વનો પરિપત્ર જાહેર કરાયો છે. હવેથી વાહનચાલકો નજીકનાં RTOમાંથી લાઈસન્સ રિન્યૂ કરાવી શકશે. વાહન વ્યવહારનાં પરિપત્રમાં કોઈ ફેરફાર થઇ શકશે નહીં. મહત્વનું છે કે રાજ્ય સરકારનાં વાહનવ્યવહાર વિભાગ દ્વારા જનતાનાં હિત માટે એક સારો અને મહત્વનો નિર્ણય લેવાયો છે. સાથે સાથે જે પણ લોકો એક શહેરમાંથી બીજા શહેરમાં જતા હોય છે તેવાં લોકોને પણ આ નિર્ણયનો વિશેષ ફાયદો થશે. મહત્વનું છે કે આનાં લીધે લોકોનો સમયનો પણ બચાવ થશે અને તેઓની સમસ્યાનું નિરાકરણ પણ ટૂંક સમયમાં આવી શકશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.