કેન્દ્ર સરકાર દ્વારા આધાર કાર્ડને લઇને લોકોને મોટી રાહત આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. સરકારે ગઈ કાલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે એ વિવિધ કલ્યાણકારી સ્કીમોને આધાર સાથે લિંક કરવાની સમયસીમા આવતા વર્ષની 31 માર્ચ સુધી વધારવા માટે તૈયાર છે.
તમને જણાવી દઈએ કે બેંક અકાઉન્ટસને આધાર સાથે લિંક કરવાની સમય મર્યાદા 31 ડિસેમ્બર છે. એ જ રીતે મોબાઇલ નંબરથી આધાર લીંકની સમય મર્યાદા 6 ફેબ્રઆરી, 2018 સુધી છે.
આધારથી ઘણા પ્રકારની સેવાઓને લિંક કરવાનું અમલમાં મૂકાઇ ગયું છે. હાલમાં આધારને વીમા પોલિસીથી લિંક કરવાને મની લોન્ડ્રિંગના બીજા સંશોધન નિયમ, 2017 હેઠળ ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. વીમા નિયમનકાર ઇરડાએ આ વાત 8 નવેમ્બર 2017એ આપેલા પોતાના નિવેદનમાં જણાવી હતી. આ પ્રકારે આધારને લિંક કરાવવાનો નિયમ જીવન વીમા કંપનીઓ અને સામાન્ય વીમા કંપનીઓ પર લાગૂ થઇ ગયો છે જેમાં સ્વાસ્થ્ય વીમા કંપનીઓનો પણ સમાવેશ થાય છે.
જોકે કલ્યાણકારી સ્કીમોને આધાર સાથે લિંક કરવાની સમય મર્યાદા આવતા વર્ષની 31 માર્ચ સુધી વધારાય તેવી શક્યતા છે.