રિલાયન્સ જિયો ઇન્ફોકોમ જો રિલાયન્સ કોમ્યુનિકેશન્સ પાસેથી સ્પેક્ટ્રમ નહીં ખરીદી શકે અને અનિલ અંબાણીની કંપની ઇનસોલ્વેન્સી તરફ જતી રહેશે તો દિલ્હી, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના જિયો યુઝર્સને સર્વિસમાં મુશ્કેલીનો સામનો કરી શકવો પડે છે. આ વાત ટેલિકોમ સેક્ટરના એક્સપર્ટ અને એનાલિસ્ટ્સે જણાવી છે.
તેમણે કહ્યું કે જિયો આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ સહિતના આ માર્કેટમાં પ્રીમિયમ 800 મેગાહર્ટ્ઝ બેન્ડમાં પાંચ યૂનિટ્સની સળંગતાવાળું સ્પેક્ટ્રમ બ્લોક બનાવવા આરકોમ પર નિર્ભર છે. આ બેન્ડ 4G એલટીઇ સેવાઓ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. તેમાંથી દરેક સર્કલમાં જિયો પાસે 800 મેગાહર્ટ્ઝ બેન્ડમાં 4G એરવેવ્સની 3.8 યુનિટ્સ છે અને આ બેન્ડમાં નિર્બાધ એલટીઇ કવરેજ માટે આરકોમના સ્પેક્ટ્રમ પર નિર્ભર છે.
એનાલિસિસ મેસનના પાર્ટનર અને હેડ રોહન ધમીજાએ કહ્યું કે સ્પેક્ટ્રમ ટ્રેડિંગ ડીલ જલ્દી ક્લિયર કરવી પડશે કારણ કે તેનાથી જિયોને આરકોમનું 4G સ્પેક્ટ્રમ મળશે. તેનાથી જિયો 800 મેગાહર્ટ્ઝ બેન્ડમાં બ્લોક્સ બનાવવામાં મદદ મળશે. જે એલટીઈ કવરેજ માટે જરૂરી હોય છે, જેથી મુખ્ય માર્કેટ સેવાઓમાં મુશ્કેલી ન આવે.
સ્પેક્ટ્રમ ટ્રેડિંગ એગ્રીમેન્ટ પર વર્ષ 2017માં દખલ કરાઈ હતી. તેને મંજૂરી મળ્યા પછી આરકોમ 4G એરવેવ્સના 112.4 યુનિટ્સને જિયોને વેચી શકે છે. તેમાં 800 મેગાહર્ટ્ઝ બેન્ડ એલટીઇ સ્પેક્ટ્રમ સામેલ છે જેને આરકોમે સિસ્ટેમાં શ્યામ ટેલિસર્વિસિઝ પાસેથી ખરીદી હતી. તેનો વેલિડિટી પીરિયડ વધુ છે. આરકોમ પર 46000 કરોડ રૂપિયાનું દેવું છે. આ સ્પેક્ટ્રમ વેચવાથી આરકોમને 18000 કરોડ રૂપિયાનું દેવું ઓછું કરવામાં મદદ મળશે.
આ ડીલ આરકોમ માટે મહત્વપૂર્ણ છે તો જિયો માટે પણ છે. આ સ્પેક્ટ્રમ ન મળ્યું તો મુંબઇ, ગુજરાત, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, બિહાર, ઓડિશા, આસામ અને પૂર્વોત્તર જેવા મુખ્ય બજારોમાં જિયોની 4G એલટીઈ કવરેજની ગુણવત્તા પ્રભાવિત થઈ શકે છે. આ સર્કલ્સમાં આરકોમના એરવેવ્સનો એક્સેસ ન મળવા પર આ 4G બેન્ડમાં જિયોની સ્ટેન્ડઅલોન હોલ્ડિંગ એક રીતે બંને કંપનીઓની કમ્બાઈન હોલ્ડિંગ્સની અડધી રહી જશે.