નવી દિલ્હીઃ ટ્વીટરે ભારતના ઉપરાષ્ટ્રતિ એમ વેકૈયા નાયડુના ખાનગી ટ્વીટર હેન્ડલ ઉપરથી બ્યૂ ટીક હટાવ્યું છે. એટલે કે વેંકૈયા નાયડુંના ટ્વીટર હેન્ડર અનવેરીફાઈડ કરી દીધું છે. જ્યારે વૈંકયા નાયડુના ટ્વીટર એકાઉન્ટથી વેરિફિકેશન હટાવાથી આઈટી મંત્રાલય નારાજ થયું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ટ્વીટરની ખોઈ ખોટી મંશા છે. તેના નંબર 2 ઓથોરિટીની સાથે આ સલૂક કર્યું છે. ટ્વીટર એ જોવા માંગે છે કે ભારત કઈ હદ સુધી ધીરજ રાખે છે. આ મામલે ટ્વીટરની દલીલ ખોટી છે સરકાર આનાથી કડકાઈથી નિપટશે.
ખબર એ છે કે, ઉપરાષ્ટ્રપતિના અંગત હેન્ડલમાંથી બ્લૂ ટિકને દૂર કરવાનું મોટું કારણ પ્લેટફોર્મ પરની તેમની નિષ્ક્રિયતા છે. ઉપરાષ્ટ્રપતિ કાર્યાલયના એક અધિકારીએ કહ્યું કે, ‘વેંકૈયા નાયડુનું વ્યક્તિગત અકાઉન્ટ 6 મહિનાથી નિષ્ક્રિય હતું અને હવે તેનું બ્લૂ ટિક હટાવી લેવાયું છે.’
આ અંગે ભારતીય જનતા પાર્ટી મુંબઇના પ્રવક્તા સુરેશ નખુઆએ ટ્વિટર પર એક અનેક સવાલો ઉઠાવ્યાં છે. તેમણે તેને ‘ભારતના બંધારણ પર હુમલો’ ગણાવ્યો છે. આપને જણાવી દઈએ કે, નવા આઈટી નિયમોને લઈને ટ્વિટર અને ભારત સરકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં, આ નવીનતમ મામલો વિવાદને વધુ વધારી શકે છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈએ ટ્વિટરને ટાંકીને જણાવ્યું છે કે, કંપની કોઈપણ સમયે કોઈ સૂચના લીધા વિના ટ્વિટર એકાઉન્ટની બ્લૂ વેરિફાઇડ બેજ અને વેરિફાઇડ સ્ટેટસને દૂર કરી શકે છે. ટ્વિટર અનુસાર, બ્લૂ વેરિફાઇડ બેજ એટલે કે એકાઉન્ટ લોકોના હિતનું છે અને અસલી છે. ખાસ વાત એ છે કે, આ ટિક મેળવવા માટે, ટ્વિટર એકાઉન્ટ સક્રિય અને અસલ હોવું જોઈએ.