કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે આધાર નંબરને પાન સાથે લિંક કરવાની સમય મર્યાદા વધારીને 30 જૂન કરી દીધી છે. પહેલા આ તારીખ 31 માર્ચ હતી. સીબીડીટીએ ચોથી વાર સમય મર્યાદામાં વધારો કર્યો છે. પાંચ માર્ચ સુધી 33 કરોડ પાન કાર્ડમાંથી 16.65 કરોડ પાન આધાર સાથે લિંક કરવામાં આવ્યાં છે જ્યારે કલ્યાણ યોજનાઓ માટે અંતિમ તારીખ 31 માર્ચ છે.સુપ્રિમ કોર્ટે આધારને કલ્યાણ યોજનાઓ સાથે લિંક કરવાની સમય મર્યાદા 31 માર્ચથી આગળ વધારવાથી ઇન્કાર કરી દીધો છે.જે લોકો આ સમય મર્યાદામાં આધારને કલ્યાણ યોજના સાથે લિંક નથી કરાવી શક્યાં તેઓ લાભ મેળવવાથી વંચિત રહી શકે છે.
સુપ્રિમ કોર્ટે 13 માર્ચના રોજ બેન્ક ખાતાઓ તથા મોબાઇલ ફોન નંબરોને આધાર સાથે લિંક કરવાની સમય મર્યાદા 31 માર્ચથી અનિશ્વિત કાળ માટે આગળ વધારી દીધી છે.