ભારત-યુએસ તણાવ વચ્ચે મુનીરની મુલાકાત શેનો સંકેત?

By
Satya Day
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues,...
2 Min Read

ટ્રમ્પે ભારત પર ટેરિફ લાદ્યા પછી મુનીરને બોલાવ્યા: અમેરિકા-પાકિસ્તાન વચ્ચે શું નવું રમાઈ રહ્યું છે?

અમેરિકા અને ભારત વચ્ચેનો વેપાર તણાવ ગાઢ થઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારત પરથી થતી આયાત પર 50% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ નિર્ણય બાદ હવે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેની વધતી નિકટતા નવી ચર્ચાઓને જન્મ આપી રહી છે. પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર ફરી એકવાર અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે, જે  દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

Asim Munir

મુનીર ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં વોશિંગ્ટન જવાના છે.

તેવા અહેવાલ છે કે તેઓ યુએસ સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર માઈકલ કુરિલાના વિદાય સમારંભમાં ભાગ લેશે. કુરિલાએ પોતાના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાનને આતંકવાદ વિરુદ્ધ એક ‘મજબૂત ભાગીદાર’ તરીકે દર્શાવ્યો હતો. તેમણે થોડા મહિના પહેલા પાંચ ISIS આતંકવાદીઓને પકડી લેવા માટે પાકિસ્તાનની પ્રશંસા પણ કરી હતી, જે યૂએસ ઇનપુટના આધારે કરવામાં આવ્યું હતું.

trump 2673

ફરી એકવાર દ્વિપક્ષીય સંબંધો ગાઢ થવાના સંકેત મળી રહ્યા છે.

ઓપરેશન સિંદૂર પછી પણ મુનીરે અમેરિકા મુલાકાત લીધી હતી. હવે ફરીથી એમની મુલાકાત એ પ્રશ્ન ઊભો કરે છે કે શું અમેરિકા દક્ષિણ એશિયામાં નવો સામરિક સંતુલન બનાવી રહ્યું છે?

ટ્રમ્પ અને મુનીર વચ્ચે જૂન મહિનામાં થયેલી મુલાકાત પણ વિશેષ ચર્ચાનો વિષય રહી હતી. તેઓએ એકસાથે લંચ કર્યો હતો અને લગભગ બે કલાક સુધી બેઠક ચાલી હતી. વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કર્યું હતું કે આ મુલાકાત ટ્રમ્પના આમંત્રણ પર યોજાઈ હતી. તેમે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવવા પગલાં લેવા અંગે પણ ચર્ચા કરી હતી.

આ તમામ ઘટનાઓ એવા સંકેત આપે છે કે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વેપારતણાવ ઊંડો બની રહ્યો છે.

Share This Article
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues, and regional developments. With a passion for truth and responsible journalism, Satya Day ensures that every story reflects accuracy, neutrality, and public relevance. Stay connected with Satya Day for news that matters.