એનડીએના રાષ્ટ્રપતિપદ ના ઉમેદવાર રામનાથ કોવિંદે શુક્રવારે ઉમેદવારી પત્ર ભર્યું. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી, ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી હાજ રરહ્યા. કોવિંદની સામે 17 વિપક્ષી પક્ષના ઉમેદવાર મીરાકુમાર ચૂંટણી લડશે. કોવિંદની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી, ભાજપના અધ્યક્ષ અમિતશાહ, વિદેશમંત્રી સુષમા સ્વરાજ અને ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. આડવાણી, મુરલીમનોહર જોશી પણ હાજર રહ્યા. કોવિંદના નોમિનેશન માં કુલ 480 પ્રસ્તાવક બન્યા, પીએમમોદી, લાલકૃષ્મઆડવાણી અને મુરલીમનોહર જોશી કોવિંદના પ્રસ્તાવક બન્યા. કોવિંદના નોમિનેશન માટે ભાજપના દિગ્ગજ નેતા સંસદ ભવનમાં હાજર રહ્યા હતા. પ્રકાશસિંહ બાદલ, રામવિલાસ પાસવાન, મેનકા ગાંધી, જનરલ વી. કે. સિંહ, મુખ્તાર અબ્બાસ નકવી, કૈલાશ વિજયવર્ગીય, થાવરચંદ ગહલોત, શિવરાજસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા. ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહ પણ હાજર રહ્યા હતા.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.