પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે શનિવારે દેશમાં ખેડૂતોના પ્રદર્શન મુદ્દે કેન્દ્રની નિંદા કરી છે. તેમણે કહ્યું કેમંદી દરમિયાન કૃષિ ક્ષેત્રમાં ૩.૯ ટકાના વધારા પછી ઇનામ તરીકે પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સાથે સરકાર દુશ્મનો જેવો વ્યવહાર કરી રહી છે
ચિદમ્બરમે ટ્વીટ કરીને સરકાર પર આ આરોપો કર્યા છે. તેમણે કહ્યું કે, “વડાપ્રધાન મોદી કેરળથી આસામ ગયા હતા પરંતુ તેમની પાસે દિલ્હી સરહદ પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને મળવાનો સમય ન હતો, જેના માટે માત્ર 20 કિલોમીટર જ જવાનું હતું. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે, ‘માત્ર 6 ટકા ખેડૂતો જ લઘુતમ ટેકાના ભાવે (એમએસપી) વેચી શકે છે. તેમ છતાં, તેઓ કહે છે કે તેઓએ ખેડૂતોની આવક બમણી કરી છે. તેઓ એવો પણ દાવો કરશે કે તમામ ખેડૂતોને એમએસપી મળશે જ્યારે હકીકત એ છે કે માત્ર 6 ટકા ખેડૂતો જ એમએસપી પર વેચી શકશે. ‘
અગાઉ સોમવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકારે પસાર કર્યા છે તે નવા કૃષિ કાયદાઓને ખેતી સંબંધિત વેપારને બગાડવા માટે લાવવામાં આવ્યા હતા . દરમિયાન કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરનું નિવેદન આવ્યું હતું કે સરકારે ખેડૂતો સાથે ત્રણ કૃષિ કાયદાઓ પર ચર્ચા કરવા માટે પોતાનો દરવાજો ખુલ્લો રાખ્યો છે. એ વાત જણાવી એ છે કે આ કાયદાઓના વિરોધમાં ખેડૂતો 26 નવેમ્બરથી દિલ્હીની વિવિધ સરહદો પર પ્રદર્શન કરી રહ્યા છે.