ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણીવાર વર્લ્ડકપ માટે ચોંકાવનારા નિર્ણયો કરવામાં આવે છે અને ઍવો જ ઍક નિર્ણય ૨૦૧૯ના વર્લ્ડકપમાં ભારતીય ટીમ મેનેજમેન્ટ તેમજ પસંદગીકારો લઇ શકે છે અને તે છે તમિલનાડુના અોરલાઉન્ડર વિજય શંકરને વર્લ્ડકપમાં ચોથા ક્રમે અજમાવવાની વિચારણા. આ પહેલા ૨૦૦૩ના વર્લ્ડકપમાં વીવીઍસ લક્ષ્મણના સ્થાને ટીમે દિનેશ મોંગીયાને તક આપી હતી, જે સ્પિન બોલિંગ અોલરાઉન્ડર હતો. ભારતમાં રમાયેલા ૨૦૧૧ના વર્લ્ડકપમાં યુવરાજે પાંચમા બોલર તરીકેને ભૂમિકા નિભાવીને ૧૫ વિકેટ ખેરવી હતી. આ બાબતોને ધ્યાને લઇને બોર્ડ શંકર બાબતે આવો નિર્ણય કરે તેવી સંભાવના છે.
જા કે ચોથા ક્રમ માટે શંકરને સૌથી વધુ પડકાર અંબાતી રાયડુ તરફથી મળશે, રાયડુ હાલ આઉટ ઓફ ફોર્મ છે પણ આઇપીઍલમાં જા તે ઝળકશે તો શંકર માટે તે બાબત નકારાત્મક બની શકે છે. શંકર માટે ફાયદાકારક વાત ઍ છે કે તે ગમે ત્યારે મોટા ફટકા મારી શકે છે અને સાથે જ તે સ્ટ્રાઇક રોટેટ કરવાનું પણ જાણે છે. વળી તે અોછામાં અોછી પાંચ ઓવર બોલિંગ પણ કરી શકે છે. તે સ્વિંગ બોલિંગનો સારી રીતે સામનો કરી શકે છે ઍવું તેણે વેલિંગ્ટનમાં બતાવી દીધું હતું.
ઋષભ પંતને વર્લ્ડકપમાં ચોથા ક્રમે ઉતારવાની પોન્ટિંગ-ગાંગુલીની સલાહ
વર્લ્ડ ક્રિકેટના મહાન કેપ્ટનોમાં જેની ગણના થાય છે તે રિકી પોન્ટિંગે ઋષભ પંતને ભારતની વર્લ્ડકપ માટેની ટીમમાં ચોથા ક્રમના બેટ્સમેન તરીકે સામેલ કરવાની ભલામણ કરી છે. માજી ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીઍ પંતને ભારતીય ટીમ માટે અમૂલ્ય વારસ ગણાવ્યો હતો. આઇપીઍલમાં દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ પોન્ટિંગે કહ્યું હતું કે જો હું પસંદગીકાર હોવ તો પંતને ચોક્કસ વર્લ્ડકપ માટેની ટીમમાં સામેલ કરું. ચોથા ક્રમે તેનાથી બહેતર કોઇ ખેલાડી નથી. તે ટીમ માટે ઍક્સ ફેક્ટર બની શકે છે.