ભારતીય ડેવિસ કપ ટીમ 55 વર્ષ પછી પાકિસ્તાનના પ્રવાસે જઇ શકે છે. ઓલ ઇન્ડિયા ટેનિસ ઍસોસિઍશન (ઍઆઇટીઍ)ઍ સંકેત આપ્યા છે કે કેન્દ્ર સરકાર સપ્ટેમ્બરમાં પાડોશી દેશમાં રમવા માટે ખેલાડીઓને મંજૂરી આપી શકે છે. ભારતીય ડેવિસ કપ ટીમ માર્ચ 1964 પછી પાકિસ્તાનના પ્રવાસે ગઇ નથી. તે સમયે ડેવિસ કપનો ઍ મુકાબલો ભારતે 4-0થી જીત્યો હતો.
ઍઆઇટીઍના મહામંત્રી હિરણમય ચેટર્જીઍ કહ્યું હતું કે અમે સરકારને આ સંબંધે પત્ર લખ્યો છે અને આશા છે કે અમે પાકિસ્તાન રમવા જઇશું ઍવું અમને લાગે છે. તેમણે ક્હ્યું હતું કે આ દ્વિપક્ષિય સિરીઝ નથી, તે વર્લ્ડ કપ જેવું જ છે, તેથી સરકારે અમને મંજૂરી આપવી પડશે. મને વિશ્વાસ છે કે અમે પાકિસ્તાનમાં જઇને રમીશું. પાકિસ્તાની ફેડરેશને કહ્યું છે કે આ મેચ ઇસ્લામાબાદમાં રમાશે.
આ ઍશિયા ઓસેનિયા ગ્રુપ-1 મુકાબલાનો વિજેતા વર્લ્ડ ગ્રુપ ક્વોલિફાયરમાં જશે. આ બંને દેશો વચ્ચે અંતિમ મુકાબલો 2006માં મુંબઇ ખાતે રમાયો હતો. જેમાં ભારતનો 3-2થી વિજય થયો હતો. હાલનો નોન પ્લેઇંગ કેપ્ટન મહેશ ભૂપતિ તેમાં સામેલ હતો. ઍ ટીમમાં લિઍન્ડર પેસ, પ્રકાશ અમૃતરાજ અને રોહન બોપન્ના સામેલ હતા. તે પહેલા ભારત પાકિસ્તાન વચ્ચે ડેવિસ કપનો મુકાબલો 1973માં તટસ્થ સ્થળ મલેશિયામાં રમાયો હતો.