ડોપ ટેસ્ટ મામલે અત્યાર સુધી કડક વલણ અપનાવનાર બીસીસીઆઇ હવે થોડું નરમ પડ્યું છે અને કહ્યું હતું કે તે આગામી છ મહિના સુધી નેશનલ ઍન્ટી ડોપિંગ ઍજન્સી (નાડા) સાથે મળીને કામ કરશે. બીસીસીઆઇના ટોચના અધિકારીઓ અને સીઓઍની આઇસીસી અધ્યક્ષ શશાંક મનોહર સાથેની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
બોર્ડના ઍક સીનિયર અધિકારીના જણાવ્યા અનુસાર આઇસીસી, બીસીસીઆઇ અને નાડા વચ્ચે ત્રિપક્ષીય કરાર થશે. જેના હેઠળ રજિસ્ટર્ડ પુલમાં સામેલ ખેલાડીઓના યુરિન સેમ્પલના ટેસ્ટ નેશનલ ડોપ ટેસ્ટ લેબોરેટરીમાં નાડા મારફત કરાવવામાં આવશે. આ પહેલા સ્વીડનની આઇડીટીઍમ આ નમુના ઍકત્ર કરતી હતી. અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે જો અમને સંતોષ નહીં થાય તો કરાર રિન્યુ નહી થાય. જો કે બોર્ડે હજુ સુધી નાડાને પોતાના આ વલણ અંગે જાણ કરી નથી.બીસીસીઆઇઍ પોતે જાતે યુરીન સેમ્પલ ઍકત્ર કરીને નાડાને આપવાની શરતે આ તૈયારી બતાવી છે. નાડાના મહાનિર્દેશક નવીન અગ્રવાલે કહ્યું હતું કે આ બાબતે હું ત્યારે જ કોઇ ટીપ્પણી કરીશ જ્યારે મને કોઇ લેખિત કન્ફર્મેશન મળશે. મને હજુ સુધી કોઇ સત્તાવાર સૂચના મળી નથી.
બીસીસીઆઇને નાડાના ઍન્ટી ડોપિંગ અધિકારીઓ પર વિશ્વાસ નથી
બીસીસીઆઇને નાડાના ઍન્ટી ડોપિંગ અધિકારીઓ પર વિશ્વાસ નથી. બીસીસીઆઇના ઍક અધિકારીઍ ઍવું કહ્યું હતું કે નાડાના ઍન્ટી ડોપિંગ અધિકારીઓપર અમને વિશ્વાસ નથી. નાડાના ડીસીઓ દ્વારા સેમ્પલ યોગ્ય રીતે ઍકત્ર નહીં કરવાના ઘણાં દાખલા જોવા મળ્યા છે. વાત જ્યારે વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની જેવા મોટા નામોની હોય ત્યારે અમે નાડાના અધિકારીઅઓપર આંખ મીચીને ભરોસો ન કરી શકીઍ. તેમણે કહ્યું હતું કે અમે જે જરૂરિયાત છે તે ૧૦ ટકા સેમ્પલ જ ઉપલબ્ધ કરાવીશું, જેમાં ટોચના રાષ્ટ્રીય ખેલાડીઅો અને કેટલાક ફર્સ્ટક્લાસ ક્રિકેટરોના સેમ્પલ સામેલ હશે.
આઇસીસી સાથેની બેઠકમાં વૈશ્વિક ટૂર્નામેન્ટના ટેક્સ છૂટનો મુદ્દો પણ ચર્ચાયો
બીસીસીઆઇના ટોચના અધિકારીઓ અને સીઓઍની આઇસીસી અધ્યક્ષ શશાંક મનોહર સાથેની બેઠકના ઍજન્ડામાં બીજી ચર્ચા ૧૫૦ કરોડ રૂપિયાની ટેક્સ છૂટની હતી, જેમાં ૨૦૧૬ના ટી-૨૦ વર્લ્ડકપની સાથે જ ભવિષ્યની વૈશ્વિક ટૂર્નામેન્ટ૨૦૨૧ના ટી-૨૦ વર્લ્ડકપ અને ૨૦૨૩ના વનડે વર્લ્ડકપની બાકી ચૂકવણીનો મુદ્દો સામેલ હતો. જેમાં બીસીસીઆઇઍ આઇસીસી અધ્યક્ષ મનોહરને જા સરકાર હાલની પોતાની જે ટેક્સમાં કોઇ છૂટ ન આપવાની સ્થિતિ જાળવી રાખે તો તેઅો કઇ રીતે ઍ ટેક્સ છૂટની ચુકવણી કરશે તે અંગેની પોતાની યોજના સમજાવી હતી. બીસીસીઆઇઍ ઍવું આશ્વાસન આપ્યું છે કે નવી સરકાર બન્યા પછી અમે તેમને ટેક્સ છૂટની વિનંતી કરીશું.