કોરોનાવાઈરસના લોકાડાઉન દરમ્યાન અનેક લોકોએ તેમની જોબ ગૂમાવી છે. ખાસ કરીને ટીવી અને ફિલ્મના શૂટીંગ ત્રણ મહીના બંધ રહેવાથી, તેના કાસ્ટ-ક્રૂ, એકટર અને સેટના વર્કરના પગારમાં મોટો કાપ મૂકાયો હતો.
ટીવીનો જાણીતો અને માનીતી સીરીયલ બાલિકા વધૂના ડાયરેક્ટર રામ વૃકષા ગૌર ને પેન્ડેમીક દરમ્યાન બેકારી સહન કરવી પડી હતી. શુટીંગ બંધ હોવાથી પૈસા ઊભા કરવા તેમને શાકભાજી વેચવાનુ ચાલું કર્યુ છે. હાલમાં ઉતરપ્રદેશના અઝમર્ગહમાં શાકભાજી વેચે છે.
“હું અઝમર્ગહમાં મૂળ તો ફિલ્મની રેક્કી કરવા આવ્યો હતો, પણ એ દરમ્યાન લોકડાઉન એનાઉન્સ થતા હું મુંબઈ પાછો ન આવી શક્યો. અને જે પ્રોજેક્ટ પર અમે કામ કરતા હતા, તે પણ લોકાડાઉન ને કારણે બંધ થઈ ગયું, અને એ પ્રોજેક્ટ ને ફરી શરુ થતા એક વર્ષથી પણ વધારે સમય જઈ શકે એવું પ્રોડ્યુસરે જણાવ્યું હતું. એટલે રોજગારી મેળવવા મેં મારા પિતાજીનો વેપાર હાથમાં લઈ લીધો, અને મેં શાકભાજી વેચાવાની શરુઆત કરી. મને આ વેપાર કરવાનો બિલકુલ સંકોચ કે અફસોસ નથી, આ ધંધા બાબત મને પહેલેથી જાણકારી પણ છે.” ગૌરે કહ્યું હતું.
મુંબઈની જર્ની વિશે તે જણાવે છે કે “હું જ્યારે ૨૦૦૨માં મારા રાઈટર ફ્રેન્ડની મદદથી મુંબઈ આવ્યો હતો, ત્યારે પહેલા તો ટીવી શોમાં લાઈટીંગ ડિપાર્ટમેન્ટમાં કામ શરુ કરતો હતો, એ બાદ પ્રોડ્કશન ડિપાર્ટમેન્ટમાં અને પછી સિરિયલમાં આશિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરતોહતો. હું એપીસોડ ડિરેકટર અને યુનિટ ડિરેક્ટર તરીકે બાલિકા વધૂમાં કામ કરતો.