લડાખમાં એલએસી(LAC) ઉપર ચીની સૈન્ય સાથે થયેલી હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકોની શહાદત મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul gandhi) વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) સામે સતત હુમલો કરી રહ્યા છે. રાહુલ ગાંધી સૈનિકોની શહાદત અંગે કેન્દ્ર સરકાર પર સતત સવાલ ઉભા કર્યા છે. રાહુલ ગાંધીએ રવિવારે ફરી વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.
રાહુલ ગાંધીએ કહ્યું, નરેન્દ્ર મોદી ખરેખર સરેન્ડર મોદી છે. રાહુલ ગાંધીએ જાપાન ટાઇમ્સનો એક આર્ટિકલ શેર કરતાં કહ્યું હતું. જાપાન ટાઇમ્સમાં ભારતની હાલની નીતિને ચીનને આનંદ આપવા તરીકે વર્ણવવામાં આવી છે. આ અગાઉ રાહુલ ગાંધીએ ગલવાનમાં હિંસક અથડામણના મુદ્દે શુક્રવારે સર્વપક્ષીય બેઠક બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર પણ સવાલ ઉઠાવ્યા હતા.