નવી દિલ્હીઃ મોદી સરકાર ભારતમાં મુસાફરી કે ટ્રાન્સપોર્ટ માટેની જીવદોરી સમાન રેલવેનું ખાનગીકરણ કરવાની દિશામાં મક્કમ પગલે આગળ વધી રહી છે. ગત વર્ષે પેસેન્જર ટ્રેનનું ખાનગીકરણ કર્યા બાદ હવે ગુડ્સ ટ્રેન એટલે કે માલવાહક ટ્રેનોનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લીધો છે.
સરકારે રેલવે વિભાગની આવક વધારવા માટે ગયા વર્ષે ખાનગી ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. આ આધાર પર હવે સરકાર અને રેલવે મંત્રાલય પણ ખાનગી ગુડ્સ ટ્રેનો ચલાવવા ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે.
સૂત્રોએ જણાવ્યું છે કે આ ખાનગી માલગાડીઓ ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર અથવા ડીએફસી પર ચલાવામાં આવશે. આ ગુડ્સ ટ્રેનોમાં તમામ માલસામાનનું વહન કરવામાં આવશે. રેલ્વે મંત્રાલયે દેશમાં લગભગ 2800 કિલોમીટરને ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર 2022 સુધી પૂર્ણ થવાની અપેક્ષા વ્યક્ત કરી છે.
આ બન્ને કોરિડોર પર અધિકાધિક સામાનોને પરિવહન કરવા વાળી માલગાડિયો ચલાવવાનો સરકાર વિચાર કરી રહી છે. આ રૂટ પર બે માળની કન્ટેનર ટ્રેન પણ ચલાવવામાં આવશે. આ માર્ગો પર ખાનગી ટ્રેનો દોડવાની પણ સંભાવના છે. રેલવે બોર્ડના અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે સ્ટીલ, લોખંડ, કાપડ અને ઓટોમોબાઈલ ઉદ્યોગોથી સંબંધિત ઉદ્યોગકારોને આકર્ષવા માટે વિશેષ નીતિ લાગુ કરવામાં આવશે. સંબંધિત ઉદ્યોગપતિઓ જ્યારે પોતાની માલની ટ્રેન ખરીદે છે ત્યારે કાચા માલ અને અન્ય માલસામાન પરિવહન કરવામાં સસ્તી લાગે છે. આ પ્રકાર સ્વયંકી માલગાડી ખરીદવા વાળી ઉદ્યોગપતિઓ ટાટા, અદાણી, મહિન્દ્રા અને મારુતિ ઉદ્યોગ જૂથોનો સમાવેશ થવાની સંભાવના છે.
ઉલ્લેખનિય છે કે ભારતીય રેલવે હાલ ખોટનો સામનો કરી રહી છે અને તેમાંય કોરોના કાળમાં મોટાભાગની પેસેન્જર ટ્રેનો બંધ રહેવાથી ખાવક નોંધપાત્ર ઘટી ગઇ છે.