પુલવામામાં થયેલા ત્રાસવાદી હુમલા પછી પાકિસ્તાન સામે વર્લ્ડકપની મેચ ન રમવાની માગણી ફરી ઍકવાર ઉગ્ર બનવા માંડી છે. માજી ક્રિકેટર ગૌતમ ગંભીરે આગામી વનડે વર્લ્ડકપમાં પાકિસ્તાન સામેની મેચ ન રમવાનું પોતાનું વલણ ફરી દોહરાવ્યું છે. ગંભીરે કહી દીધું હતું કે આપણે પાકિસ્તાન સામેની ગ્રુપ સ્ટેજની તો શું ટૂર્નામેન્ટની ફાઇનલ રમવાની આવે તો પણ ન રમવી જાઇઍ.
ગંભીરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાઍ પાકિસ્તાન સામે રમવું કે નહીં તે બીસીસીઆઇઍ જ નક્કી કરવાનું છે. પણ હું અંગત રીતે ઍવું માનુ છું કે મારા માટે ઍ બે પોઇન્ટ ઍટલા મહત્વના નથી, જેટલા સૈન્યના જવાનો મહત્વના છે. આપણા માટે સૈન્ય જવાન કોઇપણ ક્રિકેટ મેચથી વધુ મહત્વના છે. તેણે કહ્યું હતું કે જા ભારતીય ટીમ પાકિસ્તાન સામેની ફાઇનલમાં આવે, તો પણ આપણે ઍ મેચ ન રમવી જોઇઍ.