મોંબ લિચિંગના વિરોધમાં સુરતમાં નીકળેલી રેલીમાં હિંસા ફાટી નીકળી હતી. જેમાં અસામાજિક તત્વોએ પોલીસ પર જીવલેણ હુમલો કરતા વાતાવરણ તંગ બન્યુ હતું. જેથી આવા તત્વો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે સુરત શહેરના સામાજિક સંગઠનો અને વેપારીઓ દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. જેમાં સુરતમાં છેલ્લા ઘણા વર્ષોથી દરેક સમાજના લોકો ભાઈચારા અને પ્રેમભાવથી રહે છે. ત્યારે શહેરમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આવા તત્વો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરાઇ છે.
Sunday, May 19