હાલ નવરાત્રીના તહેવારને હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે તહેવારને લઈને શહેરના બુટલેગરો પણ એક્ટિવ થઇ ગયા હોઈ તેમ ગુજરાત બહારથી દારૂ મંગાવીને સુરત શહેરમાં દારૂનું વેચાણ કરે છે.તેવામાં મહિધરપુરા પોલીસને બાતમી મળી હતી કે મહિધરપુરા આયુર્વેદિક ગરનાળા પાસેથી એક ઈસમ દારૂના જથ્થા સાથે પસાર થવાનો છે જેથી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને શંકાસ્પદ ઈસમને ઝડપી પડ્યો હતો દરમ્યાન તેની પાસે રહેલ કાપડના થેલાની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
ઝડપાયેલ આરોપી ચંદ્રકાન્ત પરમાર મૂળ મહેસાણા જિલ્લાનો રહેવાસી હોવાનું જાણવા મળેલ છે તેની પાસેથી મળી આવેલ કાપડના થેલાની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 275 બોટલો મળી આવેલ જેની કિંમત રૂ.27,500 થાય છે.હાલ તો પોલીસે યુવકની ધરપકડ કરીને વિવિધ કલમો હેઠળ તેની તપાસ હાથ ધરી છે.