દેશમાં પહેલી ખાનગી ટ્રેન દિલ્હી અને લખનઉ વચ્ચે દોડાડવામાં આવશે. તેજસ એક્પ્રેસે દેશની પહેલી ખાનગી ધોરણે ચાલતી રેલવે હશે. 100 દિવસના એજન્ડાને આગળ વધારતા શરૂઆતના ધોરણે બે ટ્રેનને ખાનગી ધોરણે ચલાવવાનો સરકારે નિર્ણય લીધો છે. કેન્દ્રે તમામ વિરોધ વચ્ચે રેલવેનું ખાનગીકરણ કરવા માટે પગલું ભર્યું છે. રેલવે બોર્ડે દિલ્હી-લખનઉ વચ્ચે અને આ સિવાય 500 કિમી લાંબા માર્ગ પર શરૂઆત કરવા માટે પ્રયત્નો કરી રહી છે કે જ્યાં ખાનગી ધોરણે ટ્રેન ચલાવી શકાય.
દિલ્હી તેજસ એક્સપ્રેસને ચલાવવાની જાહેરાત 2016માં કરવામાં આવી હતી પરંતુ નવા સમય પત્રક મુજબ તેને હાલમાં શરુ કરવામાં આવી છે. દિલ્હી લખનઉ વચ્ચે ચાલનારી તેજસ ટ્રેનનો ઘણા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા. આ ટ્રેન હાલમાં ઉત્તરપ્રદેશના આનંદનગર રેલવે સ્ટેશન પર ઉભી છે જેને ઓપનિંગ બીડિંગની પ્રોસેસ બાદ પ્રાઇવેટ પ્લેયરને સોંપી દેવામાં આવશે. હાલમાં આ રૂટ પર 53 ટ્રેન ચલાવવામાં આવી રહી છે પરંતુ કોઈ રાજધાની ટ્રેન નથી. આ રૂટની સૌથી પ્રીમિયમ ટ્રેન સ્વર્ણ શતાબ્દી છે જે દિલ્હી લખનઉ વચ્ચે 6.30 કલાકનો સમય લે છે.
જોકે આ ટ્રેનની કસ્ટડી IRCTC પાસે રહેશે જેના કારણે તેને રેલવે બોર્ડને પેમેન્ટ કરવાનું રહેશે. લીઝ ચાર્જ અને ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન સહીતઘણું બધું સામેલ છે. આ બંને ટ્રેનો શરૂઆતમાં પ્રાયોગિક ધોરણે ચલાવવામાં આવશે અને 100 દિવસમાં વધુ એક ત્રણે ચલાવવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. રેલવેને ખાનગી ધોરણે ચલાવવા માટે એવા રૂટની પસંદગી કરવામાં આવી છે કે જેમાં ભીડ ઓછી હોય અને વધારે પર્યટન સ્થળોને જોડી શકાતા હોય.